Gujarat News : અમરેલી બાદ હવે જુનાગઢમાં ભાજપમાં ભડકો થયો છે. જેમાં જવાહર ચાવડાના દિકરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો તેમની પર આરોપ મુકાયો છે. આ અંગે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ મોટો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. જેમાં પક્ષ વિરોધી મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
અગાઉ ભાજપમાં ફરીથી અસંતોષ બહાર આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
બાદમાં 4 મેના રોજ ભાજપ વિરોધી મતદાન કરવા બેઠક બોલાવવામાં આવી હતી. બીજીતરફ જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચારથી દૂર હોવાનું કહેવાય છે.