રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે કોરોના રસી ડોઝ લેશે. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલા પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નેતા રવિશંકર પ્રસાદ સહિત ઘણા નેતાઓએ કોરોના રસીનો ડોઝ લીધો છે.
Political / દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી
કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચ 2021 થી શરૂ થયો છે. રસીકરણના બીજા તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષની વયના લોકો, જે અન્ય રોગથી પીડિત છે, તેઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
Corona effect / રાજકોટમાં કોરોનાનો ફુંફાડો : સિવિલ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને તેમની પત્નીએ ગઈકાલે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. તેમને દિલ્હી હાર્ટ અને લંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોરોના રસી ડોઝ આપવામાં આવી હતી. પહેલા હર્ષવર્ધનની પત્ની નૂતન ગોયલને રસી મુકાવી અને ત્યારબાદ હર્ષવર્ધને આ રસી મુકાવી હતી. તેઓએ અપીલ કરી હતી કે 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો અને અન્ય રોગોથી પીડિત લોકોને તાત્કાલિક રસી મળે છે.
Corona effect / હરિયાણાના કરનાલ જિલ્લાના છાત્રાલયમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 54 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…