સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. ગૌતમ બુદ્ધ નગરથી ડો.મહેન્દ્ર નાગર, મિસરિખથી મનોજ કુમાર રાજવંશી, સુલ્તાનપુરથી ભીમ નિષાદ, ઇટાવાથી જિતેન્દ્ર દોહરે, જાલૌનથી નારાયણ દાસ અહિરવાર અને આઝમગઢથી ધર્મેન્દ્ર યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે યુપીની 80 લોકસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી થશે અને પરિણામ 4 જૂને આવશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે.
આ લોકસભાની ચૂંટણીમાં પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ, મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડ, પ્રથમવાર મતદારોની સંખ્યા 1.8 કરોડ, 85 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 82 લાખ છે. 18 થી 19 વર્ષની વચ્ચેની મહિલા મતદારોની સંખ્યા 85.3 લાખ છે અને 20 થી 29 વર્ષની વયના 19.74 કરોડ મતદારો છે.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે