@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
વૈશ્વિક મહામારી કોવિડ-19 સંક્રમણ સામે લડવા સમગ્ર દેશ એકસાથે આવ્યો છે અને વિવિધ વર્ગો બનતી મદદ કરવા આગળ આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ કોરોના સામેની લડતમાં જિલ્લા વહીવટી તંત્રનાં હાથ મજબૂત કરવા માટે વિવિધ કંપનીઓ આગળ આવી છે.
વાવાઝોડાથી નુકસાન: કાલોલ તાલુકામાં તાઉતે વાવાઝોડાનાં પગલે ઘરનાં પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન દોસ્ત થયા
આ જ શ્રેણીમાં આજે એલેમ્બિક ફાર્મા કંપની તરફથી જિલ્લા વહીવટી તંત્રને 28 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની મદદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં આ પ્રકારની મદદ પ્રશંસનીય પહેલ છે અને જિલ્લાને મળેલ આ કોન્સન્ટ્રેટર જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલ્સ, સીએચસી અને પીએચસીમાં ફાળવવામાં આવશે જ્યાં 5 લિટર સુધીની ઓક્સિજનની ડિમાન્ડ ધરાવતા દર્દીઓનાં લાભાર્થે ઉપયોગમાં લઈ શકાશે. જેનાથી ઓક્સિજનનો વપરાશ ઘટશે અને એક વૈકલ્પિક વ્યવસ્થા મળશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં ઓક્સિજન વપરાશમાં વધારો નોંધાયો છે.
વાવાઝોડાની અસર: ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી
પંચમહાલનાં પાનેલાવ ખાતે પ્લાન્ટ ધરાવતી એલેમ્બિક ફાર્માનાં સિનિયર લાઈઝન ઓફિસર અશોક પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, કોવિડ-19 એક વૈશ્વિક મહામારી છે અને તમામનાં સહયોગથી જ કોરોનાને હરાવી શકાશે. કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીનાં ભાગરૂપે આ પ્રકારની પ્રવૃતિઓ અમે સતત કરીએ છીએ જે હેઠળ આજે ગોધરા જિલ્લા સેવાસદન ખાતે આ 28 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે. કોવિડ સામેની લડાઈમાં સહયોગ આપી શકવાનો અમને સંતોષ છે અને આગળ પણ આ પ્રકારની કામગીરી અમે ચાલુ રાખીશું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા તેમજ એલેમ્બિક કંપનીનાં વરિષ્ઠ અધિકારીઓ સંજય ભટ્ટાચાર્ય, આનંદ દેસાઈ અને નવનીત રાજપૂત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.