Not Set/ શું જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે ઝઘડો થયો છે? નથી થતી કોઇ વાત? જાણો શું કહ્યું શૈલેષ લોઢાએ

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો તો કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તારક મેહતા (શૈલેષ લોઢા) વચ્ચેના સંબંધો ઠીક નથી. શોમાં ભલે બન્ને ગાઢ મિત્રો બતાવાયા હોય પરંતુ હકીકતમાં બન્ને વચ્ચે મનમેળ નથી

Entertainment
tmkoc ft શું જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે ઝઘડો થયો છે? નથી થતી કોઇ વાત? જાણો શું કહ્યું શૈલેષ લોઢાએ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણાં વર્ષોથી ટીઆરપીમાં સૌથી આગળ રહેતો શો છે. દર્શકોનો આ ફેવરિટ શો છે. છેલ્લા 12 વર્ષથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો સાથે જોડાયેલી નાનામાં નાની વાત દર્શકો જાણવા માંગતા હોય છે. તો આજ હાલત શો સાથે જોડાયેલા કલાકારોની પણ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો તો કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તારક મેહતા (શૈલેષ લોઢા) વચ્ચેના સંબંધો ઠીક નથી. શોમાં ભલે બન્ને ગાઢ મિત્રો બતાવાયા હોય પરંતુ હકીકતમાં બન્ને વચ્ચે મનમેળ નથી

શૈલેષ લોઢા અને દિલીપ જોશીના સંબંધો બગડ્યા હોવાની વાત પર જે દાવા કરવામાં આવી રહ્યા હતા તેની પર હવે શૈલેષ લોઢાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બધી વાતો ખોટી છે. હકીકતમાં બન્નેનો સંબંધ બિલકુલ એવો જ છે જેવો શોમાં બતાવાયો છે. બન્ને સાથે શૂટિંગ કરવાની સાથે સાથે શૂટ પછી પણ ઘણો બધો સમય સાથે પસાર કરે છે. આ તેમની દોસ્તીનો જ રંગ છે કે સેટ પર લોકો તેમને બેસ્ટ બડી બોલાવે છે. બન્ને વચ્ચે સેટ પર ખુબ મસ્તી મજાક પણ થાય છે કારણ કે બન્નેની સેન્સ ઓફ હ્યુમર કમાલની છે.