ભોપાલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જ કન્યા સાથે લગ્ન કરવા માટે તેના ઘરે સાત જુદા જુદા વરરાજા પહોંચ્યા હતા. પરંતુ કોઇને સાસરિયાં વાળા, લગ્ન કરાવવા વાળા અને દુલ્હન મળી નહીં, તેઓ તેમની સમસ્યાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે લગ્ન સંસ્થાના મેનેજર પર બનાવટી કેસ નોંધ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ વરરાજા સાથે લગ્ન કરવાના નામે 20-20 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.
જન કલ્યાણ સેવા સમિતિ નામની સંસ્થા લોકોને લગ્ન કરવાના નામે લાખોની છેતરપિંડી કરતી હતી. સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સાત વરરાજાના લગ્ન તે જ દિવસે એટલે કે 25 માર્ચે થવા જોઈએ. આ સંસ્થા ગરીબ છોકરીઓના લગ્ન કરવાના બહાને ઠગી ગેંગ ચલાવતી હતી.
આ માટે સંસ્થા છોકરા પાસેથી 20 હજાર રૂપિયા લેતી હતી. જ્યારે આ બાબત લગ્ન સુધી પહોંચે ત્યારે તે છોકરીના પરિવારને છોકરાઓ બતાવવામાં આવે છે. જ્યારે લગ્ન કરવાની વાત આવે છે ત્યારે છોકરીના પરિવારને કહેવામાં આવે છે કે છોકરા પક્ષે ના પાડી દીધી છે. આ તારીખે સાત અલગ અલગ વરરાજાની નક્કી કરાયેલી તારીખ પર લગ્ન કરવા પહોંચ્યા, પરંતુ ત્યા કોઇ મળ્યું નહીં. તમામ ગાયબ થઇ ગયા. ઘર પર તાળું હતું, સંસ્થા કલાકો સુધી ફોન કરતી રહી પણ દુલ્હન બાજુથી કોઇ આવ્યું નહીં, કોઈ જવાબ મળ્યો ન હતો. આવી સ્થિતિમાં આ પીડિતો પોતાની ફરિયાદ લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ કેસમાં માહિતી આપતાં ટી.આઇ.ચંદ્રભને જણાવ્યું હતું કે શહેરની એક સંસ્થા શગુન જન કલ્યાણ સેવા સમિતિના નામે સાત જુદા જુદા લોકો વતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં લગ્ન કરાવી છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સંગઠનો શહેરો, નગરોમાં પત્રિકાઓ વહેંચીને અને ઓફિસમાં બોલાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હતા. તેઓ કહેતા હતા કે આપણે ગરીબ છોકરીઓના લગ્ન કરાવીએ છીએ.