અલ્હબાદ હાઇકોર્ટ દ્વારા PM મોદીને નોટીશ ફટકારાય છે. હાઇકોર્ટ દ્વારા PM મોદીને લોકસભા 2019માં વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા સબબ નોટીસ ફટકારવામા આવી છે. કોર્ટ દ્વારા આ નોટીસ બીએસએફ જવાન અને સપાનાં વારાણસી બેઠકનાં લોકસભા 2019નાં ઉમેદવાર તેજ બહાદુર દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે મોકલવામા આવી છે.
આપને જણાવી દઇએ કે તેજ બહાદુર દ્વારાર લોકસભા 2019ની ચૂંટણીમાં વારાણસી મતદારક્ષેત્રમાંથી PM મોદીની ચૂંટણીને પડકારતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવામા આવી હતી. આ ચૂંટણીમાં બીએસએફ જવાન તેજ બહાદુરે પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેનુ ફોર્મ રદ થતા ચૂંટણી લડી શક્યા નહોતા. ત્યારે પોતાનું ફોર્મ અમાન્ય રીતે રદ કરવામા આવ્યું હોવાનાં આક્ષેપ સાથે તેજ બહાદુરે હાઇકોર્ટનું શરણું લીધું હતુંં અને PM મોદીની વારાણસી બેઠક પરથી જીતને પડકારતી અરજી કરવામા આવી હતી. હાઇકોર્ટ PM મોદીને નોટિસ ફટકારી 21 ઑગસ્ટનાં રોજ કોર્ટમાં સુનાવણીની આગલી તારીખ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.