Not Set/ જળાભિષેકનું મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેક વૈજ્ઞાનિકો આવેલા છતાં આનો સીલસીલો આજેય અકબંધ

ચોટીલા પાંચાળ પંથકના એવા ઝરીયા મહાદેવ મંદિરે શિવભક્તો ભક્તિમય બનતા હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતુ.

Gujarat Others
Untitled 220 જળાભિષેકનું મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેક વૈજ્ઞાનિકો આવેલા છતાં આનો સીલસીલો આજેય અકબંધ

ચોટીલા પંથકની પાચાળ ભૂમીમાં અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. પંરતુ એમાં અદભૂત અને ચમત્કારી જગ્યા એટલે ઝરીયા મહાદેવ જ્યાં ત્રણ લીંગ વાળુ શીવલીંગ જોવા મળે છે.જે સુરેન્દ્રનગર જીલ્લાની એકમાત્ર જગ્યા છે.જ્યાં ઞુફામાથી 24 કલાક અને બારેમાસ શીવલીંગ પર અવીરત જળ વરસે છે જે જોવાલાયક છે.અનેક દુકાળો પડ્યાં છત઼ાં પણ અહીંયા પાણી અવિરત ચાલુ છે.

સુરેન્દ્રનગરથી ચોટીલા થઇને જવાતું એ જગ્યા ઝરીયા મહાદેવ અતી રમણીય વાતાવરણ અને ઘટાટોપ વૃક્ષો વચ્ચે કુદરત રચિત ગુફામાં બીરાજમાન અલૌકિક શિવાલય આવેલું છે. આ શિવલીંગ પર 24 કલાક અને બારે માસ સતત મીઠા અમૃત જેવા પાણીનો અભીષેક થતો રહે છે.જ્યારે આજુબાજુનો વિસ્તાર પથરાવ અને ડુંગરો વાળો છે. જ્યાં 400ફુટ ઊંડા ખોદાણે માંડ માંડ પાણી મળે છે. છતાં આ જગ્યા પર ત્રણ દુષ્કાળ પડ્યાં બધી જ નદીઓના, વાવોના નીર અને તળાવ બિલકુલ સુકવી નાખેલાં છતાં અહીયાં પાણી શિવલીંગ પર અવિરત ચાલુ છે. જે ખરેખર ચમત્કાર જેવુ છે. આ પાણી ક્યાંથી આવે છે. એનું જળાભિષેકનુ મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેકવાર વૈજ્ઞાનિકો આવી ગયા. પંરતુ આજ દિન સુધી આ પાણી ક્યાંથી આવે છે એ જાણી શકાયું નથી.

આ ઝરીયા મહાદેવ જગ્યા વર્ષો જુની છે. જ્યાં દંતકથા પણ ઉલ્લેખ છે. જેમાં પાંડવો આ જગ્યા પર રહી ચુક્યા છે.આ જગ્યા પર ત્રણ શિવલીંગ વાળુ લીંગ આવેલુ છે. જેના પર અવિરત પડતા જળને કારણે આ જગ્યાનું નામ ઝરીયા મહાદેવ પડયું હતુ. આ જગ્યા પર દુરદુરના લોકો દર્શને આવે છે. મુંબઇ. રાજકોટ, અમદાવાદ અને બરોડા વગેરે મોટા શહેરોના લોકો આવે છે.

શ્રાવણ માસમાં તો અહીયાં મેળો ભરાય છે. આ વખતે કોરોનાના કારણે બંધ રહેશે. દર સોમવારે તો લોકો પરિવાર સાથે આ જગ્યા પર પુરો દિવસ વિતાવે છે. અને ફરતું રમણીય વાતાવરણ અને ડુંગરાળ વિસ્તારની સેલ્ફી લેવાનુ ચુકતા નથી. અનેક ઞુજરાતી ફીલ્મોના અને આલ્બમોના શુટીંગ અહીં થાય છે.આ જગ્યાની ખાસીયત એ છે કે ત્રણ લીંગ વાળા શિવલિંગના દર્શન થાય છે અને ગુફામાંથી પડતાં પાણીની ધારાનો મહિમા વધુ છે.

ચોટીલા પાંચાળ પંથકના એવા ઝરીયા મહાદેવ મંદિરે શિવભક્તો ભક્તિમય બનતા હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતુ. પવિત્ર શ્રાવણ માસના શિવાલયો ઓમ નમોઃશિવાય નાદથી ગુંજી ઉઠવાની સાથે પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજાનો અનેરું મહત્વ હોય છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ઝરીયા મહાદેવ મંદિરે ભક્તોની અનેરી ભીડ જોવા મળી હતી. શિવભક્તોએ પુરા ભક્તિભાવ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચોટીલા પાંચાળ પંથકમાં માંડવ જંગલમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું એવું જાણીતું એવું પાંચાળ ભૂમિના માંડવ જંગલ વિસ્તારમાં આવેલું ચોટીલાથી આશરે 14 કિલોમીટરના અંતરે ઝરિયા મહાદેવની સ્થપના લોકવાયકા મુજબ પાંડવોએ વનવાસ દરમિયાન આ ઝરીયા મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારે મહાદેવ પર જળાભિષેક માટે માતા અનસૂયાએ પોતાના તપ દ્વારા ગંગા પ્રગટ કરી હતી. ત્યારથી જ આ પવિત્ર જગ્યા પર 24 કલાક બારે માસ શિયાળો, ઉનાળો કે ચોમાસા જેવી દરેક ઋતુઓ દરમિયાન 24 કલાક ભગવાન ભોળાનાથ પર સતત જળાભિષેક થતો જોવા મળતું હોવાથી આ મહાદેવને ઝરીયા મહાદેવના નામથી ઓળખાતું આ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારની સાથે શ્રાવણ માસનો પ્રારંભ થતાંની સાથે જ શિવાલય ઓમ નમઃશિવાયના નાદથી ગુંજી ઉઠયુ હતા. ઝરીયા મહાદેવના મંદિરે શિવભક્તો દ્વારા દૂધ, જળ, બીલીપત્ર સાથે અભિષેક અર્પણ કરી શિવને રીઝવવા માટે પ્રયાસો કરતાની સાથે શિવાલયમાં બમ બમ ભોલેના નાદથી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું.