World/ અલકાયદાનો વડા જવાહિરી ડ્રોન હુમલામાં માર્યો ગયો, અમેરિકાએ આ રીતે કર્યું ગુપ્ત ઓપરેશન

આતંકવાદ સામે અમેરિકાને મોટી સફળતા મળી છે. અમેરિકાએ તેના ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અને ખતરનાક આતંકવાદી અલ જવાહિરીને મારી નાખ્યો છે. કાબુલમાં અમેરિકી ડ્રોન હુમલામાં જવાહિરી માર્યો ગયો હતો.

Top Stories World
જવાહરી અલકાયદાનો વડા જવાહિરી ડ્રોન હુમલામાં માર્યો ગયો, અમેરિકાએ આ રીતે કર્યું ગુપ્ત ઓપરેશન

આતંકવાદ સામે અમેરિકાને મોટી સફળતા મળી છે. અમેરિકાએ તેના ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અને ખતરનાક આતંકવાદી અલ જવાહિરીને મારી નાખ્યો છે. કાબુલમાં અમેરિકી ડ્રોન હુમલામાં જવાહિરી માર્યો ગયો હતો. અલ-ઝવાહિરી પર US$2.5 મિલિયનનું ઇનામ રાખવામાં આવ્યું હતું. અલ જવાહિરી 9/11 હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશા વ્યક્ત કરી કે અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહીની હત્યાથી અમેરિકા પર 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા હુમલાના પીડિતોના પરિવારોને મોટી રાહત મળશે. બિડેને પુષ્ટિ કરી હતી કે અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહરી આ સપ્તાહના અંતે અફઘાનિસ્તાનમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.

બાયડેને વ્હાઇટ હાઉસમાંથી ઔપચારિક રીતે ઓપરેશનની જાહેરાત કરતા કહ્યું, “તેઓ ક્યારેય, ફરી ક્યારેય, અફઘાનિસ્તાનને આતંકવાદી સુરક્ષિત આશ્રયસ્થાન બનવા દેશે નહીં કારણ કે તે માર્યો ગયો છે અને અમે ખાતરી કરવા જઈ રહ્યા છીએ કે વધુ કંઇ ન થાય.” તેમણે ઉમેર્યું, “આ આતંકવાદી નેતા હવે નથી.”

તેણે કહ્યું કે યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ અલ-ઝવાહરીને કાબુલ શહેરમાં એક ઘરમાં ટ્રેક કર્યો, જ્યાં તે તેના પરિવાર સાથે છુપાયો હતો. રાષ્ટ્રપતિ બિડેને ગયા અઠવાડિયે જવાહિરી વિરુદ્ધ ઓપરેશનને મંજૂરી આપી હતી અને તે રવિવારે હાથ ધરવામાં આવી હતી.

જવાહિરીએ 9/11ના હુમલામાં મદદ કરી હતી
ઇજિપ્તના ડૉક્ટર અને સર્જન જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)ના બંને ટાવર સાથે અથડાયા હતા. જ્યારે ત્રીજું વિમાન અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેન્કવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયો
11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળોએ માર્યો હતો.

તે કેવી પાર પડ્યું ઓપરેશન ?

સીએનએનના અહેવાલ મુજબ જવાહિરીએ કાબુલમાં શરણ લીધી હતી. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અમેરિકાએ આ હુમલા માટે બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જવાહિરી પર હુમલા પહેલા બિડેને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે કેટલાક અઠવાડિયા સુધી બેઠક કરી હતી. એટલું જ નહીં, ખાસ વાત એ છે કે આ હુમલા સમયે કાબુલમાં એકપણ અમેરિકન હાજર નહોતો.

હક્કાની તાલિબાનના વરિષ્ઠ સભ્યો આ વિસ્તારમાં જવાહિરીની હાજરીથી વાકેફ હતા.અમેરિકન અધિકારીઓએ કહ્યું કે તે દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાલિબાને જવાહિરીની હાજરી છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તાલિબાને પણ તેના છુપા ઠેકાણા સુધી કોઈ પહોંચી ન જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું. આ માટે તેના પરિવારના સભ્યોનું લોકેશન પણ બદલવામાં આવ્યું હતું. જો કે, યુએસએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં તેમના પરિવારને ન તો નિશાન બનાવવામાં આવ્યા છે કે ન તો કોઈ નુકસાન થયું છે. એટલું જ નહીં, અમેરિકાએ તાલિબાનને આ મિશન વિશે માહિતી પણ આપી ન હતી.

કોણ હતો જવાહિરી?

જવાહિરી 11 વર્ષથી અલ કાયદાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે એક સમયે ઓસામા બિન લાદેનના અંગત ચિકિત્સક હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઝવાહિરી ઈજિપ્તના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેના દાદા, રાબિયા અલ-ઝવાહિરી, કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં ઇમામ હતા. તેમના પરદાદા અબ્દેલ રહેમાન આઝમ આરબ લીગના પ્રથમ સચિવ હતા. એટલું જ નહીં, અમેરિકા પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડના કાવતરામાં જવાહિરીએ મદદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલા બાદ જવાહિરી છુપાઈ ગયો હતો. આ પછી, તે અફઘાનિસ્તાનના પર્વતીય તોરા બોરા ક્ષેત્રમાં અમેરિકી હુમલામાં બચી ગયો. જેમાં તેની પત્ની અને બાળકોના મોત થયા હતા.

તાલિબાનની ભૂમિકા પર સવાલ
જવાહિરીની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું તાલિબાન ઓગસ્ટ 2021માં કાબુલ પર કબજો કર્યા બાદ આતંકવાદી નેતાને આશ્રય આપી રહ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી અમેરિકી સેના તૈનાત હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં આ હુમલાની પુષ્ટિ કરી અને સખત શબ્દોમાં વખોડી કાઢી, તેને “આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો”નું ઉલ્લંઘન ગણાવ્યું.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું કે કાબુલમાં રવિવારે સવારે જોરદાર ધડાકો સંભળાયો. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, “શેરપુરમાં એક ઘર રોકેટથી અથડાયું હતું. ઘર ખાલી હોવાથી કોઈને ઈજા થઈ ન હતી.