અમરેલી,
લોકસભાની ચૂંટણી રહેલા કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે ફરી વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ગબડું પડ્યું છે,
અમરેલીના સાવરકુંડા તાલુકાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે. સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી દર્શાવી છે અને એક સાથે 150 કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા હતા.
ઉલ્લખનીય છે કે, દિપક માલાણીને સસ્પેન્ડ કરતા કોંગ્રેસની બેઠક મળી હતી અને દિપક માલાણીના સમર્થનમાં 150 જેટલા કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા.