દાન/ અમૂલ ડેરી દ્વારા બેલ્જીયમ અને ફ્રાન્સથી મંગાવેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

ઓક્સિજન પ્લાન્ટ આયાત કરવામાં આવ્યું

Gujarat
amul અમૂલ ડેરી દ્વારા બેલ્જીયમ અને ફ્રાન્સથી મંગાવેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

રાજયમાં કોરોના કેસોએ માઝા મૂકી છે. કોરોનાના કેસો આણંદમાં પણ વધી રહ્યા છે અને ઓક્સિજનની અછત જિલ્લામાં ના સર્જાય તે હેતુંથી અમૂલ ડેરી દ્વારા આણંદ જિલ્લાની કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલને ઓક્સિજનનો પ્લાન્ટ દાન કરવામાં આવ્યો છે. જેથી વર્તમાન સમયમાં દર્દીઓને પડતી ઓક્સિજનની અછતને ઘટાડી શકાય. વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી દ્વારા આણંદ જિલ્લામાં સૌથી વધુ કોવિડ દર્દીઓને સારવાર આપતી કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ દાન કરવામાં આવ્યો છે. જેથી વર્તમાન સમયમાં દર્દીઓને પડતી ઓક્સિજનની અછતને ઘટાડી શકાય.

જિલ્લામાં ઓક્સિજનની અછતના સર્જાય અને કોરોનાને માત આપી શકાય એ હેતુથી પ્લાન્ટ આયાત કરવામાં આવ્યા છે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઈ સોઢા, સાંસદ મિતેશભાઈ પટેલ સાથે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબલિટીના ભાગરૂપે 45 લાખના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં નડિયાદ અને કપડવંજ ખાતે પણ આ રીતના પ્લાન્ટ ઉભા કરવામાં આવશે ત્યારે કોવિડ દર્દીઓને ઉભી થતી ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.અમૂલ ડેરીએ 7 દિવસમાં બેલ્જીયમ અને ફ્રાંસથી આયાતી ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણકંમ્પ્રેશરને બેલ્જીયમથી આયાત કરવામાં આવ્યું.ઉલ્લેખનીય છેકે, આ પ્લાન્ટમાં વાપરવામાં આવેલા કંમ્પ્રેશર બેલ્જીયમથી આયાત કરવામાં આવ્યું છે. જ્યારે આ મશીનમાં ઉપયોગમાં લેવામાં આવેલા એર સેપરેટર ફિલ્ટરને ફ્રાંસથી આયાત કરેલા હોવાની જાણકારી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.