ગાંધીનગર/ રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, રાજય માં 15 જુલાઇથી ધો.12 વર્ગો શરુ કરાશે

રાજય સરકાર દ્વારા  15 જુલાઈ થી  ધોરણ ૧૨ ના વર્ગો શરુ કરવાની  પરવાનગી આપવામાં આવી છે .

Top Stories Gujarat Others
Untitled 68 રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, રાજય માં 15 જુલાઇથી ધો.12 વર્ગો શરુ કરાશે

રાજય માં  કોરોના ના બીજી લહેર  ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્મિત થયા હતા તેમજ અનેક લોકો મૃત્યુ પણ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના ની બીજી લહેર ને કાબુ માં લાવવા અનેક  નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા હતા. જેમના પગલે  સમગ્ર રાજય માં મીની લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું હતું . તેમજ શૈક્ષણિક કાર્ય પણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું .જેથી શાળાઓ પણ બંધ હતી .   રાજય માં હવે કોરોના કેસ ઘટતા  રાજય સરકાર દ્વારા  15 જુલાઈ થી  ધોરણ ૧૨ ના વર્ગો શરુ કરવાની  પરવાનગી આપવામાં આવી છે . મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમય થી  શાળાઓ તેમજ કોલેજો  બંધ હતી.

રાજય માં કોરોના કેસ ઘટતા હવે ૮ મહાનગરો સિવાય ના શહેરોમાં  રાત્રી કર્ફ્યું  હટાવી લેવામાં આવ્યો છે . તેમજ લગ્ન માં પણ ૧૫૦ લોકોની છૂટ આપવામાં આવી છે .વાલીઓની લેવાની રહેશે મંજૂરી તેમજ   રાજય માં  શાળાઓ  તેમજ કોલેજો 15 જુલાઈ થી ૫૦ ટકા ની કેપેસીટીથી  શરુ કરવામાં આવશે . જેમાં   વિદ્યાર્થીઓએ  જવાનું મરજિયાત રહેશે. શાળામાં  સરકાર ની કોરોનાના ની તમામ ગાઈડલાઈનનું  પાલન કરવામાં આવશે .