રાજય માં કોરોના ના બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્મિત થયા હતા તેમજ અનેક લોકો મૃત્યુ પણ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના ની બીજી લહેર ને કાબુ માં લાવવા અનેક નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા હતા. જેમના પગલે સમગ્ર રાજય માં મીની લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું હતું . તેમજ શૈક્ષણિક કાર્ય પણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું .જેથી શાળાઓ પણ બંધ હતી . રાજય માં હવે કોરોના કેસ ઘટતા રાજય સરકાર દ્વારા 15 જુલાઈ થી ધોરણ ૧૨ ના વર્ગો શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે . મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમય થી શાળાઓ તેમજ કોલેજો બંધ હતી.
રાજય માં કોરોના કેસ ઘટતા હવે ૮ મહાનગરો સિવાય ના શહેરોમાં રાત્રી કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે . તેમજ લગ્ન માં પણ ૧૫૦ લોકોની છૂટ આપવામાં આવી છે .વાલીઓની લેવાની રહેશે મંજૂરી તેમજ રાજય માં શાળાઓ તેમજ કોલેજો 15 જુલાઈ થી ૫૦ ટકા ની કેપેસીટીથી શરુ કરવામાં આવશે . જેમાં વિદ્યાર્થીઓએ જવાનું મરજિયાત રહેશે. શાળામાં સરકાર ની કોરોનાના ની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે .