સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંગણવાડી તેમજ બાલમંદિર શરૂ થયા છે. હાલ રાજયમાં કોરોનાના કેસ માં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં આંગણવાડી તેમજ બાલમંદિર શરૂ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંગણવાડી તેમજ બાલમંદિર શરૂ થયા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બાલમંદિર તેમજ આંગણવાડી બંધ હતી ત્યારે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બાલમંદિર માં નાના ભૂલકાઓ આનંદથી રમતો રમતા રમતા ભણવાનું કાર્ય કરી રહ્યા હતા. બાલમંદિર શરૂ થતાં બાળકો માં આનંદ અને ઉત્સાહ હતો સાથે રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા લીધેલ નિર્ણયને વાલી અને સ્કૂલના સંચાલકોએ નિર્ણય ને આવકાર્યો હતો.