Gujart News/ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાલીમાર્થીઓને કૌશલ્ય શીખીને આત્મનિર્ભર બનવા માર્ગદર્શન આપ્યું

સંસ્થામાં 1500 જેટલા તાલીમાર્થીઓ માટે કાર્યરત 3 થી 6 માસના શોર્ટ ટર્મ કોર્સની મંત્રીએ માહિતી મેળવી

Gujarat Trending
Arjun Modhwadia met with the trainees

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા એ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામ ખાતે સ્થિત અતુલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોકેશનલ એક્સલન્સ સંસ્થાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળા અતુલ ફાઉન્ડેશનના ચેરપર્સન સ્વાતિબેનએ મંત્રી મોઢવાડીયાને પોતાની સંસ્થામાં ધરમપુર અને કપરાડા તાલુકા સહિત જિલ્લાના આદિવાસી તાલીમાર્થી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કાર્યરત સેવાકીય પ્રવૃતિની માહિતી આપી હતી. મંત્રીએ આ સંસ્થામાં કાર્યરત ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેકસટાઈલ ક્ષેત્રે ઉપયોગી ઈન્ડ્રસ્ટીઝ સ્યુઈંગ મશીન ઓપરેટર, ઈલેક્ટ્રીશીયન, કમ્પ્યુટર હાર્ડવેર અને મેઈન્ટેનન્સ, કેમિકલ પ્લાન્ટ ઓપરેટર, વેલ્ડીંગ ટેકનિશીયન અને રેફ્રીઝરેટર- એસી ટેકનિશીયનના તાલીમાર્થીઓના વર્ગ ખંડમાં જઈ તેઓ સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો. ટેકસટાઈલ ક્ષેત્રના તાલીમાર્થીઓએ જરદોશી આર્ટ દ્વારા તૈયાર કરેલા ડિઝાઈનીંગ વસ્ત્રો મંત્રીશ્રીએ નિહાળી આ ક્ષેત્રમાં રોજગારી દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે સૂચન કર્યા હતા.

અતુલ ફાઉન્ડેશનના ચેરપર્સ સ્વાતિબેનએ જણાવ્યું કે, અમારી સંસ્થામાં 1500 જેટલા તાલીમાર્થીઓ માટે 3 થી 6 માસના શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે જે શીખીને તાલીમાર્થીઓ ઝડપથી નોકરી ધંધો મેળવી પોતાની મેળે પગભર થઈ શકે છે. અહીં તાલીમાર્થીઓને કોમ્યુનિકેશન અંગે પણ શિક્ષણ આપવામાં આવે છે.

આ મુલાકાત વેળા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડો. ડી.સી.પટેલ, અતુલ કંપનીના ડિરેકટર વિવેક ગડરે, અને જનરલ મેનેજર ગૌતમ દેસાઈ સહિત સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી નરેશ પટેલે ધરમપુરના માલનપાડા સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી

આ પણ વાંચો: સ્વાગત ઓનલાઇન, ટેકનોલોજીના માધ્યમથી લોકસમસ્યાનો ઉકેલ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં તાલાલાના જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતાં અર્જુન મોઢવાડિયા…