નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરે ભારતમાં જોડાયા પછી સાર્વભૌમત્વનું તત્વ જાળવી રાખ્યું નથી. તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્રને જમ્મુ-કાશ્મીર અંગે કલમ 370ની કામચલાઉ જોગવાઈ રદ કરવાનો અધિકાર છે. આમ કેન્દ્રએ આ મુદ્દે પાંચ ઓગસ્ટ 2019ના રોજ લીધેલો આદેશ યતાવત રહેેશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાની જોગવાઈનો કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય છે અને આ કરવાનો તેને અધિકાર છે. તેની પાસે તેની બંધારણીય સત્તા છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની આ બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ અલગ-અલગ ચુકાદા લખવામાં આવ્યા હતા, પરંતુ તમામ ન્યાયાધીશો એક નિષ્કર્ષ પર સહમત હતા. આમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતની અંદર કોઈ રાજ્ય સાર્વભૌમ ન હોઈ શકે. ભારત સાર્વભૌમ હોઈ શકે. તેથી રાજ્યોનું સાર્વભૌમત્વ નામનો કોઈ મુદ્દો જ ન હોવો જોઈએ અથવા હોય તો તે કામચલાઉ વ્યવસ્થા હોવી જોઈએ. હા, રાજ્યોના અધિકાર હોઈ શકે.
સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2018 માં જમ્મુ અને કાશ્મીરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્યતા પર ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેને અરજદારો દ્વારા ખાસ પડકારવામાં આવ્યો ન હતો. CJI ચંદ્રચુડે કહ્યું, ‘જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, ત્યારે રાજ્યોમાં સંઘની શક્તિઓ પર મર્યાદાઓ હોય છે. કલમ 356 હેઠળ સત્તાનો ઉપયોગ ઘોષણાના હેતુ સાથે યોગ્ય સંબંધ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન, રાજ્ય વતી યુનિયન દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને પડકારી શકાય નહીં… આનાથી રાજ્યનો વહીવટ અસ્થિર થઈ જશે…’મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે અરજદારોની દલીલ કે સંસદને રાજ્યના કાયદા બનાવવાની સત્તા હોઈ શકે છે તે ત્યારે જ સ્વીકાર્ય નથી જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ