Not Set/ અરવલ્લી/ એમ્બ્યુલન્સની ટક્કરે બળદગાડું લઇ જતા ખેડૂતનું મોત

અરવલ્લી જીલ્લાના શામળાજી મોડાસા હાઈવે પર એક એમ્બ્યુલન્સ અને બળદગાડા વચ્ચે અકસ્માત થયો છે. આ એમ્બ્યુલન્સ ખોડંબા પાસે શામળાજી થી મોડાસા તરફ જઈ રહી હતી. સદનસીબે તેમાં કોઈ પેસેન્જર કે અન્ય કોઈ હતું નહિ. પ્રાપ્ત વિગતો અનુસાર ખાલી એમ્બ્યુલન્સે બળદ ગાડું લઇ જતા ખોડંબાના એક ખેડૂતના બળદ ગાડાને ટક્કર મારી હતી. જેમાં બળદ ગાડા ઉપર […]

Gujarat Others
sarfaraz 3 અરવલ્લી/ એમ્બ્યુલન્સની ટક્કરે બળદગાડું લઇ જતા ખેડૂતનું મોત

અરવલ્લી જીલ્લાના શામળાજી મોડાસા હાઈવે પર એક એમ્બ્યુલન્સ અને બળદગાડા વચ્ચે અકસ્માત થયો છે. આ એમ્બ્યુલન્સ ખોડંબા પાસે શામળાજી થી મોડાસા તરફ જઈ રહી હતી. સદનસીબે તેમાં કોઈ પેસેન્જર કે અન્ય કોઈ હતું નહિ.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાલી એમ્બ્યુલન્સે બળદ ગાડું લઇ જતા ખોડંબાના એક ખેડૂતના બળદ ગાડાને ટક્કર મારી હતી. જેમાં બળદ ગાડા ઉપર સવાર પ્રભાભાઈ સદાભાઈ પટેલ નામના  ખેડૂતનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.  જ્યારે બે બળદોને ગંભીર ઈજાઓ પહોચી હતી.

ઘટનામાં ખેડૂતનું મોત નીપજતા ગ્રામજનોમાં ભારે રોષે જોવા મળ્યો હતો. મોડાસા શામળાજી હાઇવે રોડમાં ખોડંબા પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે ચક્કા જામ કર્યો હતો.  જેના પગલે બંને બાજુ ૫ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી.  જોકે ઘટના બાદ પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો.

એક કલાકની સમજાવટ બાદ ટ્રાફિક ચાલુ કરાયો હતો.  જોકે ઘટના અંગે પોલીસે અક્સમાત ગુનો નોધવાની તજવીજ હાથ ધરી ખેડૂતના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.