આજે દેવદિવાળી અને કારતક સુદ પૂનમના રોજ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં માતાજીને વહેલી સવારે મંગળા આરતી સાથે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. તમામ પ્રકારની મીઠાઈ, શાક, શરબત સહિત 56 પ્રકારના વ્યંજનો સાથે માતાજીને અન્નકુટ ધરાવાયો હતો.ત્યારે અન્નકુટના દશઁન કરવા ભક્તો સાબરકાંઠા ઉપરાંત અમદાવાદ, સુરત, ભરૂચ તથા અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
કારતક સુદ પુનમ એટલે દેવદિવાળી હોવાથી આજના પવિત્ર દિવસે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ના શ્રી અંબિકા માતાજીને છપ્પન ભોગ ધરાવાયો હતો અને વહેલી સવારે મંગળા આરતી માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વરતોલ ચામુંડા માતાજીને ચૌદશના દિવસે અન્નકુટ ધરાવાયો હતો.
દેવદિવાળી અને પૂનમના રોજ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં માતાજીને વહેલી સવારે મંગળા આરતી સાથે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવતાં અન્નકુટમાં તમામ પ્રકારની મીઠાઈ, શાક, શરબત વિગેરે 156 પ્રકારના વ્યંજનોનો સાથે માતાજીના અન્નકુટ ના દશઁન કરવા ભક્તો સાબરકાંઠા ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ તથા અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવુ મંદિર ટ્રસ્ટના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યુ હતુ.
આ પણ વાંચો:ગિફ્ટ સિટીમાં હવે એન્ટરટેઇનમેન્ટ હબ, પાંચ હજાર કરોડના ખર્ચે વિકસાવાશે
આ પણ વાંચો:ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ
આ પણ વાંચો:કેમ ગુજરાતમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી બે ડઝન લોકોએ ગુમાવ્યો જીવ