ઝવેરી બ્રાન્ડ તનિષ્કની એક જાહેરાત અંગેનો વિવાદ વધી રહ્યો છે. ટ્વિટર પર બોયકોટનાં ટ્રેન્ડથી પ્રારંભ થયેલી, આ બાબત હવે જાહેરાતોને દૂર કરીને કંપની સ્ટોર પર હુમલો કરવા તરફ આગળ વધી છે. વિરોધ પ્રદર્શન બાદ આ જાહેરાત પર ગુજરાતના ગાંધીધામમાં એક કંપની સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે. વળી, મેનેજર પાસેથી બળજબરીથી માફી માંગવાના સમાચાર છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર ટોળાએ મેનેજર પાસેથી માફીનામામાં લખાવ્યું છે કે, “આપણે બિનસાંપ્રદાયિક જાહેરાત બતાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કચ્છ જિલ્લાનાં લોકોની માફી માંગીએ છીએ.” આપને જણાવી દઇએ કે, કંપનીએ ગત અઠવાડિયે પોતાના નવા કલેક્શન એકત્વમ ને લઇને એક એડ રિલીઝ કરી હતી. જેમાં બે પરિવારો વચ્ચે આંતર-ધાર્મિક લગ્ન દર્શાવ્યા હતા. ટ્વિટર પર આ એડને લઇ # BoycottTanishq ટ્રેન્ડ થઇ રહ્યુ હતુ. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને ‘લવ ઝિહાદ’ને પ્રોત્સાહન આપતી એક જાહેરાત ગણાવી હતી અને તેને દૂર કરવાની માંગ કરી હતી.
આ જાહેરાત વિશે ખૂબ જ ટ્રોલ થયા બાદ તનિષ્કે સોમવારે તેની જાહેરાત પાછી ખેંચી લીધી હતી. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એકત્વમ અભિયાનનો ઉદ્દેશ્ય આ પડકારજનક સમય દરમિયાન વિવિધ પ્રદેશો, સ્થાનિક સમુદાયો અને પરિવારોનાં લોકો સાથે આવે અને ઉજવણી કરવાનો છે. પરંતુ ફિલ્મને ગંભીર અને ઉશ્કેરણીજનક પ્રતિક્રિયાઓ મળી, જે ફિલ્મનાં ઉદ્દેશથી સંપૂર્ણ વિરુદ્ધ છે. અમે કારણ વિના ભાવનાઓને આ રીતે ઉત્તેજીત હોવાથી ખૂબ જ દુઃખી છે અને અમારા કર્મચારીઓ, ભાગીદારો અને સ્ટોર કામદારોની સલામતીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ પરત લઈએ છીએ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ