જાહેર ક્ષેત્રની બેંકોનાં અધિકારીઓનાં યુનિયનોએ આ અઠવાડિયે સૂચિત બે દિવસીય હડતાલ મુલતવી રાખી છે. નાણાં સચિવ રાજીવ કુમારે તેમની ચિંતાઓને પહોંચી વળવાની ખાતરી આપ્યા બાદ યુનિયનોએ હડતાલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. જાહેર ક્ષેત્રની દસ બેંકોને ચાર બેંકો બનાવવા માટે મર્જ કરવાની ઘોષણાની વિરુદ્ધમાં બેંક અધિકારીઓનાં ચાર યુનિયનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસીય હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
સોમવારે સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાણાં સચિવ દ્વારા તમામ ચિંતાઓ પર સમિતિની રચનાનાં મુદ્દે સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે. આ સમિતિ દસ બેંકોનાં સૂચિત એકીકરણથી સંબંધિત મુદ્દાઓની તપાસ કરશે. અહી તમામ બેંકોની ઓળખ જાળવવાનો મુદ્દો પણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાતચીત બાદ હડતાલનો કોલ પાછો ખેંચવાની અપીલ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 48 કલાકની હડતાલ નાણાં સચિવ સાથે સકારાત્મક અને વહેવારુ સમાધાન પર વાતચીત પછી મુલતવી રાખવામાં આવી છે. આ હવે 26 અને 27 સપ્ટેમ્બરનાં રોજ બેંકોની સામાન્ય કામગીરીને અસર કરશે નહીં.
આ અગાઉ, ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (આઈબીએ) એ એસબીઆઇને જાણ કરી હતી કે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (એઆઇબીઓસી), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન (એઆઇબીઓએ), ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી) અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક અધિકારીઓ (એનઓબીઓ) 26 અને 27 સપ્ટેમ્બરનાં રોજ બેંક કર્મચારીઓએ ભારત હડતાલનું આહવાહન કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.