- બનાસકાંઠા:મધ્યાહન ભોજન બાદ બાળકોને અસર
- ધાનેરાના નાનડુગડોલ ગામની શાળામાં બની ઘટના
- મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ પડી કાળી
- મધ્યાહન ભોજન બાદ બાળકોને થઇ અસર
Banaskantha News: સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરી પાડતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના. આ યોજના અમલમાં આવી ત્યારથી કોઈ ને કોઈ વાદ વિવાદમાં આવી રહી છે. ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી, તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુને કારણે વિવાદમાં આવતી હોય છે. ત્યારે આવામાં બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાધા કેટલાક બાળકોને આડ અસર થઇ હોવાની માહિતી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા જિલ્લાની એક શાળામાં આ ઘટના ઘટતા હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે.
મળતી માહિતી અનુસાર,બનાસકાંઠા ના ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ બપોરે મધ્યાહન ભોજન આરોગ્યા બાદ અચાનક જ બાળકોની જીભ પર તેની અસર જોવા મળી હતી. અને બાળકોની જીભ કાળી પડવા લાગતા દોડધામ મચી જવા પામી હતી. બાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ અને તપાસના આદેશો આપ્યા હતા. જોકે, જીભ કાળી પડવા પાછળ સામાન્ય લક્ષણો જણાયા હોવાથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા