મુંબઈ/ સળગવાની ગંધ આવી તો બેંગ્લોર જતું આકાસા એરનું પ્લેન મુંબઈ પાછું આવ્યું, પક્ષી અથડાતાં…..

VT-YAE વિમાન મુંબઈથી બેંગ્લોર જઈ રહ્યું હતું. તે આકાસા એરની ફ્લાઈટ નંબર AKJ1103 હતી. કેબિનમાં બળવાની ગંધના કારણે પ્લેનને મુંબઈ પરત આવવું પડ્યું હતું

Top Stories India
મુંબઈ

મુંબઈથી બેંગ્લોર જઈ રહેલું આકાસા એરનું વિમાન કેબિનમાં બળવાની ગંધ આવતા મુંબઈ પરત ફર્યું હતું. ભારતના એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ શનિવારે આ માહિતી આપી છે. એરક્રાફ્ટના એન્જિન સાથે પક્ષી અથડાવાને કારણે આ ખામી સર્જાઈ હતી.

ડીજીસીએના અધિકારીએ જણાવ્યું કે ડીજીસીએ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. VT-YAE વિમાન મુંબઈથી બેંગ્લોર જઈ રહ્યું હતું. તે આકાસા એરની ફ્લાઈટ નંબર AKJ1103 હતી. કેબિનમાં બળવાની ગંધના કારણે પ્લેનને મુંબઈ પરત આવવું પડ્યું હતું. પાયલોટે જોર વધાર્યું હોવાથી બળવાની ગંધ તીવ્ર બની રહી હતી. લેન્ડિંગ બાદ જાણવા મળ્યું કે પક્ષી એન્જિન સાથે અથડાયું હતું. એન્જીન નંબર એકમાં પક્ષીના અવશેષો મળી આવ્યા હતા. પંખીની ટક્કરથી બળવાની ગંધ આવી રહી હતી.

આ પણ વાંચો:PM મોદી કહે છે કે બેરોજગારી નથી પણ યુવાનો કહે છે કે નોકરી નથી મળતી: રાહુલ ગાંધી

આ પણ વાંચો:આવતીકાલથી શરૂ થશે T20 વર્લ્ડ કપનો ‘મહાકુંભ’, જાણો શમીની એન્ટ્રીથી કેટલી મજબૂત થશે ટીમ ઈન્ડિયા?

આ પણ વાંચો:ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ઈતિહાસ રચ્યો, 7 મી વખત ટાઇટલ કર્યુ પોતાના નામે