દિલ્હી,
લોકસભા ચુંટણી પહેલા એકવાર ફરી રાફેલ વિમાન ડીલમાં કથિત ગડબડ મામલો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે રાફેલ ડીલ પર પુનર્વિચારણા અરજી પર સુનવણી થઇ. સુનાવણી દરમિયાન એજી કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રાફેલ પર કેગ રીપોર્ટ દાખલ કરવામાં ભૂલ થઇ. તેમણે કહ્યું કે રીપોર્ટના શરૂઆતના ત્રણ પેજ સામિલ નહોતા. આના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે તેમે દસ્તાવેજોના વિશેષાઅધિકારની વાત કરી રહ્યા છો. એટલા માટે તેમારે સાચા તર્ક પેશ કરવા પડશે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠ સમક્ષ કેન્દ્ર તરફથી અટાર્ની જનરલ કેકે વેણુગોપાલે તેમના દાવાના સમર્થનમાં સાક્ષ્ય કાનૂની કલમ 123 અને સુચનાના અધિકાર કાનૂનના પ્રાવધાનોઓ હવાલો આપ્યો.
જણાવી દઈએ કે આ પહેલા સરકાર આવી કેગ રીપોર્ટમાં ભૂલોની વાત કહી ચુકી છે. જેના પછી જ આ પુનર્વિચારણા અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લી કેગ રીપોર્ટના આધારે મોદી સરકારને સુપ્રીમ કોર્ટથી ક્લીન ચિત મળી હતી. અટોર્ની જનલર વેણુગોપાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સમીક્ષા અરજીઓથી લિક થયેલા પેજને દૂર કરવાના નિદેશ આપ્યો જોઈએ.
અહીં એક નજર કોર્ટની કાર્યવાહી પર..
વેણુગોપાલે આટીઆઈએક્ટનો તર્ક આપ્યો અને કહ્યું કે સુરક્ષાથી જોડાયેલી જાણકારી સાર્વજનિક કરવામાં આવી રહી નથી. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. આ દલીલ પર જસ્ટિસ કેએમ જોસેફએ કહ્યું કે જે સંસ્થાનોમાં આવ નિયમ છે અને જો ભષ્ટાચારના આરોપ છે તો જાણકારી આપવી જ પડશે.
વરિષ્ઠ વ્લીક પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો કે જો રાફેલના કાગળ ચોરી થયા હતા તો સરકારે એફઆરઆઈ કેમ નોંધવી નથી. સરકાર તેમની જરૂરતો અનુસાર આ દસ્તાવેજોનો ખુલાસો કરતી રહી છે કેગ રીપોર્ટમાં શું હશે,તેની માહિતુઈ સરકારને કઈ રીતે ખબર હશે.
પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે રાફેલના જે દસ્તાવેજો પર અટર્ની જનરલ વિશેષાઅધિકારનો દાવો કરી રહી છે, તે પ્રકાશિત થઇ ચુક્યા છે એન સાર્વજનિક દાયરામાં છે.
સુચનાના અધિકાર કાનૂનના પ્રાવધાન કહે છે કે જનહિત અન્ય વસ્તુઓથી સર્વોપરી છે અને ખુફિયા એજન્સીઓથી સબંધિત દસ્તાવેજો પર કોઈ પણ પ્રકારના વિશેષાઅધિકારના દાવો કરવામાં આવી શકે નહીં: ભૂષણ
ભૂષણે કહ્યું કે રાફેલના સિવાય બીજું કોઈ રક્ષા સોદો નથી જેમાં કેગ રીપોર્ટમાં કિમતોના વિવરણને સંપાદિત કરવામાં આવીઓ હોય.
સુપ્રીમ કોર્ટે ભૂષણને કહ્યું કે કેન્દ્રની શરૂઆતી આપતી પર નિર્ણય કર્યા પછી જ મામલાના તથ્યો પર વિચાર કેઈશું.
ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય પ્રેસ કોન્ફરન્સ અધિનિયમમાં પત્રકારોના સૂત્રોના સંરક્ષણનો પ્રાવધાન છે. ભૂષણે કહ્યું કે રાફેલ ડીલમાં સરકાર અને સરકારના વચ્ચે કોઈ કરાર નથી.કેમકે તેમાં ફ્રાંસે કોઈ સંપ્રભુ ગેરંટી આપી નથી.
આ પીઠ રાફેલ વિમાન ડીલ મામલે તેના નિર્ણય પર પુર્નવિચારણા માટે દાખલ અરજી પર સુનવણી કરી રહી છે. આ પુર્નવિચારણા અરજી પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ યશવંત સિન્હા અને અરુણ શૌરી તેમન અધિવક્તા પ્રશાંત ભૂષણે દાખલ કરી છે. બુધવારે રક્ષા મંત્રાલયે રાફેલ પર પીટીશન દાયર કરી હતી.