Ahmedabad News: અમદાવાદમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે. મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયું છે.ભગવાનના વાઘા, પ્રસાદ, રથનું સમારકામ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂને ભગવાન જગન્નાથનાં નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવશે.
જળયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ
સવારે 8 વાગ્યે જળયાત્રાનો પ્રારંભ
સવારે 8:30 વાગ્યે ગંગાપૂજનની વિધિ થશે
સવારે 10:00 વાગ્યે પોડશોપચારપૂજન વિધિ
પોડશોપચારપૂજન વિધિ બાદ મહાજળાભિષેક
સવારે 11 વાગ્યે ભગવાનના ગજવેશના દર્શન
બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે
આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ પણ ગઈ હતી TRP ગેમઝોનમાં, વીડિયો સામે આવ્યો…
આ પણ વાંચો: ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે
આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર