દેશમાં ગાયોને લઈને રાજનીતિ થાય તેમાં હવે કોઈ નવાઈ નથી રહી. ગાય માટે અનોખું કામ કરનાર ભોપાલ દેશનું પ્રથમ શહેર બની ગયું છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બીજેપી અને કોંગ્રેસના વોટરો લોકોને લલચાવવા માટે ઘોષના કરી રહ્યા હતા. ભોપાલમાં ગાયને લઈને એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણા બાદ ભોપાલ દેશનું પ્રથમ શહેર બની ગયું છે કે જ્યાં ગાયના અંતિમ સંસ્કાર માટે મુક્તિધામ બનાવવામાં આવશે.
ભોપાલમાં મહાપૌરના આકોલ શર્મા જેઓ બીજેપી પાર્ટીના છે. આલોક વર્માએ આ નિર્ણય વિશે કહ્યું કે ગાય દૂધ આપે છે તો તેની પૂજા કરીએ છીએ. જો તે દૂધ આપવાનું બંધ કરી દે તો તેને રખડતી મૂકી દેવામાં આવે છે. ગાય માટે ગૌ મુક્તિધામ બનશે જેવી જગ્યા મળશે તેવું કામ શરુ કરી દેવામાં આવશે અને અહિયાં જ ગાયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.