રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. અહીંયા એક શોભાયાત્રા દરમિયાન અનેક બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
શુક્રવારે રાજસ્થાનના કોટામાં અરાજકતા જોવા મળી હતી. જ્યારે કુણહડી થર્મલ ચારરસ્તા નજીકથી પસાર થતી શિવ શોભાયાત્રામાં વીજશોક ફેલાયો હતો. એક ડઝનથી વધુ લોકો તેની પકડમાં આવતા બચી ગયેલા, જયારે વીજ કરંટ લાગતા 14 બાળકોને એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા ઘણા બાળકોના હાથ-પગ બળેલા જોવા મળ્યા હતા. તમામની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હોસ્પિટલ પહોંચ્યા છે. ઘાયલ બાળકોની સ્થિતિ જાણ્યા બાદ તેમણે કહ્યું કે તમામ બાળકો સ્વસ્થ રહે તે માટે ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. એક બાળકની હાલત નાજુક છે. બહુ નાના બાળકો છે. બાળકોની સારવારમાં કોઈ કમી ન રહે તે માટે હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. જો જરૂર પડશે તો બાળકોને પણ રેફર કરવામાં આવશે અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો:ભારત સરકારે લશ્કર-એ-તોઈબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો
આ પણ વાંચો:વરુણ ગાંધીને સાઇડલાઇન કરી શકે છે ભાજપ, તો શું જેઠાણીના પગલે ચાલશે મેનકા?
આ પણ વાંચો:અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે મોટી લડાઈ નક્કી! કોંગ્રેસે આપ્યા મોટા સંકેતો
આ પણ વાંચો:ઘરેથી રમવા માટે નીકળેલા બાળકનું કપાયેલું મળ્યું માથું, એક મહિનાથી હતો ગુમ
આ પણ વાંચો:પૂર્વ સાંસદ ધનંજય સિંહ અભિનવ સિંઘલ અપહરણ કેસમાં દોષિત, સજા પર આવતીકાલે સુનાવણી
