જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 3 થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી ષડયંત્રની વાત કરવામાં આવી નથી. અકસ્માત સમયે આ વાહનમાં લગભગ 8 સૈનિકો હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે.
કહેવામાં આવી રહ્યું છે કે વાહનમાં થોડો સામાન હતો અને કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી અને તે વધતી જ ગઈ. અકસ્માત સમયે વાહનમાં હાજર જવાન તેની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે. અકસ્માત બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સિક્રેટ પત્ર લખીને ગયો છે અતીક અહેમદ, હવે ખુલશે રહસ્ય?
આ પણ વાંચો:અતીક-અશરફ હત્યા કેસની તપાસ કરશે SIT, આ ત્રણ અધિકારીઓ હશે ટીમનો ભાગ
આ પણ વાંચો:ઘરના ટેરેસ પર ધાબળો ઓઢાડીને બેઠો હતો શખ્સ, નોકરને જોઈને ભાગ્યો, નવજોત સિંહ સિદ્ધુએ કર્યું ટ્વિટ
આ પણ વાંચો:જો શરીર પર એક પણ ટેટૂ હશે તો તમને સરકારી નોકરી નહીં મળે; જાણો શું છે કારણ
આ પણ વાંચો:આઝમ ખાનની તબિયત બગડી, દિલ્હીની આ હોસ્પિટલમાં દાખલ