કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનાં 70 ટક ભાગ પર પાણી ફરી વળ્યા
આસામનાં વિનાશક પૂરને કારણે ગેંડા અને અન્ય દુર્લભ વન્ય જીવન માટે જાણીતા કાઝીરંગા નેશનલ પાર્કનાં લગભગ 70 ટકા ભાગો પાણી ડૂબી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વન અધિકારીઓને ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તમામ વન્ય જીવોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળો તરફ દોરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે.
આસામ
બ્રહ્મપુત્રનાં ઉપરનાં વિસ્તારોની સાથે, આસામ અને અરુણાચલ પ્રદેશનાં ઉપરવાસનાં જિલ્લાઓમાં મોર વરસાદનાં કારણે નદીઓ ગાંડીતૂર બનતા 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આશરે 4.5 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સતત વરસાદને લીધે 7 લોકોના મોત થયા છે. આર્મી અને એનડીઆરએફ ટીમો પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં અને રાહત કાર્યોમાં વ્યસ્ત છે.
બિહાર
ભારે વરસાદને કારણે બિહાર અત્યાર સુધીમાં 13 લોકો માર્યા ગયા છે, કારણ કે ભારે વરસાદથી કોસી નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે. પૂર્વ બિહારમાં કોસી-સિમંચાલનાં નદીઓ ગાંડીતૂર બની છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જુદા જુદા અકસ્માતોમાં આશરે 13 લોકોના મોત થયા છે. પશ્ચિમ ચંપારણમાં ગંધક નદીનું પાણી સ્તર ઉચ્ચ પર પહોંચી જાવથી ખતરાનાં સ્તરે વહી રહ્યું છે. તો પટનામાં ગંગા નદીનાં પાણીનાં સ્તરમાં વધારો જોવા મળી રહ્યા હોવાથી પરિસ્થિતિ વણસે તેવી સંભાવના જોવામા આવી રહી છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશનાં 14 જિલ્લાઓમાં તીવ્ર વરસાદને કારણે, છેલ્લા ત્રણ દિવસમાં 15 લોકોનાં મોત થયા છે. તો અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સત્તાવાર માહિતી અનુસાર, 9 જુલાઇથી 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં 15 લોકો અને 23 પ્રાણીઓનાં પૂરનાં કારણે મોત થયા છે. તો સાથે સાથે 133 ઇમારતો પડી ગઇ છે.પ્રયાગરાજ, ગૌરખપુર, કાનપુર, પીલીભિત, સાણભદ્રા, ચંદૌલી, ફિરોઝબાદ, માઉ અને સુલ્તાનપુર પર વરસાદી ખતરો મંડરાયેલો જોવામાં અવી રહ્યો છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી અમિત શાહ રાખી રહ્યા છે રાહત અને બચાવ કાર્ય પર સીધી દેખરેખ
શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને રાજ્ય અને કેન્દ્રિયી મંત્રાલયો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલા બચાવ અને રાહત કાર્યને વધુ વેગવંતુ બનાવવા બેઠક યોજવામા આવી હતી. શાહ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાહત અને બચાવ કાર્ય પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.