ભાજપના પૂર્વ મંત્રી ડોકટર જયનારાયણ વ્યાસના ધર્મ પત્ની સુહાસિની વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. સાંજે 4.30 વાગ્યે થલતેજ ઇલેક્ટ્રિક સ્મશાન ખાતે અંતિમ વિધિ થશે. 50 વર્ષ કરતા વધુ લાંબું દાંપત્ય જીવન અને બે દીકરા ને એક દિકરીનો પરિવાર પાછળ મૂકી ચિર વિદાય લીધી છે.
કેશુભાઈ સરકારમાં મંત્રી પદ ભોગવી ચકેલા ટેકનોક્રેટ ડોક્ટર જયનારાયણ વ્યાસ છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજકારણથી દુર છે.