- ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર
- ટીમમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ
- રૂપાણી,નીતિન પટેલ,રૂપાલા, ફળદુનો સમાવેશ
- જિતુ વાઘાણીની કરાઈ બાદબાકી
- કાનાજી ઠાકોર, કિરીટ સોલંકીનો સમાવેશ
- સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ
- જસવંતસિંહ ભાભોર,ભીખુભાઈ દલસાણીયા
- રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારનો સમાવેશ
ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને ભાજપ પૂરી તૈયારીઓ કરી રહ્યુ છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર, ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પુરષોત્તમ રૂપાલા અને ફળદુનો સમાવેશ થયો છે. આપને જણાવી દઇએ કે, આ નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમમાંથી જિતુ વાઘાણીની બાદબાકી કરવામા આવી છે.
આ સાથે આ નવી પાર્લામેન્ટ્રી બોર્ડમાં કાનાજી ઠાકોર, કિરીટ સોલંકી, સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જસવંતસિંહ ભાભોર,ભીખુભાઈ દલસાણીયા, રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારનો સમાવેશ કરવામા આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ભાજપની નવી ટીમમાં 5 પટેલ, 1 કોળી, 1 ઠાકોર , 1 દલિત, 1 ક્ષત્રિય, 1 આદિવાસી અને 1 મહિલાનો સમાવેશ કરાયો છે. આ 13 પૈકી 4 સાંસદને સામેલ કરાયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…