અદભુત શણગાર/ પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે કરાયો વિશેષ શૃંગાર

સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો.

Gujarat Others

Gir Somnath : લાટી ગામે શિવજી ને ચંદ્રયાન શૃંગાર કરાયો છે. ટેકનોલોજીની સાથે વૈદિક સંસ્કૃતિ નો સમન્વય. શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની 18 અધ્યાયની માહિતી સાથે ચંદ્રયાન – 3ની પ્રતિકૃતિ.પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવજને વિશેષ શૃંગાર. વ્રજનાથ મહાદેવની બજરંગ ગ્રુપના યુવાનો દ્વારા વિશિષ્ટ ઉપાસના.

સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજી ને કરાયેલ વિશિષ્ટ શૃંગાર શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગામ ના બજરંગ ગ્રુપ ના યુવાનો દ્વારા ટેકનોલોજી ની સાથે વૈદિક સંસ્કૃતિ નો સમન્વય જોડી આ વિશિષ્ટ શૃંગાર કરાયો હતો. જેમાં યુવાનો દ્વારા આપણા દેશ નું ગૌરવ ચંદ્રયાન 3 ની પ્રતિકૃતિ સાથે ચંદ્ર મંડળ તેની સાથેસાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની 18 અધ્યાય ની માહીતી રજૂ કરી હતી.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા