Not Set/ નસીરુદ્દીન શાહ ભડક્યા વિરાટ કોહલી પર, કહી દીધું કઈક આવું

ભારતીય ક્રિકેટ ટીમ કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલીયામાં છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી મેચ પર્થમાં રમવામાં આવી રહી છે. વિરાટ કોહલીનું પરફોર્મન્સ તો આ મેચમાં ઠીક છે પરંતુ પોતાના વ્યવહારના લીધે તેઓ વારંવાર ચર્ચામાં રહે છે. હાલમાં વિરાટ કોહલીનો વ્યવહાર જોઇને અભિનેતા નસીરુદ્દીન શાહે વિરાટના વિશે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કર્યું છે. તેમણે વિરાટ કોહલીના […]

Trending Sports Entertainment
pjimage 1 1545047092 નસીરુદ્દીન શાહ ભડક્યા વિરાટ કોહલી પર, કહી દીધું કઈક આવું

ભારતીય ક્રિકેટ ટીમ કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલીયામાં છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી મેચ પર્થમાં રમવામાં આવી રહી છે.

વિરાટ કોહલીનું પરફોર્મન્સ તો આ મેચમાં ઠીક છે પરંતુ પોતાના વ્યવહારના લીધે તેઓ વારંવાર ચર્ચામાં રહે છે.

હાલમાં વિરાટ કોહલીનો વ્યવહાર જોઇને અભિનેતા નસીરુદ્દીન શાહે વિરાટના વિશે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કર્યું છે.

તેમણે વિરાટ કોહલીના વિશે એક પોસ્ટમાં લખ્યું છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના માત્ર સારા ખેલાડી જ નથી પરંતુ દુનિયામાં સૌથી વધારે ખરાબ વ્યવહાર કરનારા ખેલાડી પણ છે. તેના આ પ્રકારના અભિમાન અને ખરાબ વ્યવહારને લીધે તેની ક્રિકેટિંગ ઉપલબ્ધિઓ ઓછી થાય છે અને મારો ભારત દેશ છોડવાનો કોઈ ઈરાદો નથી.

શું હતો વિવાદ

તમને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા એક વિડીયોમાં વિરાટ કોહલીએ ભારત છોડવાની વાત કરી હતી. આ વિડીયો પ્રમોશનલ હતો. એક યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરી હતી કે ભારતીય ખેલાડીઓની તુલનામાં બ્રિટીશ અને ઓસ્ટ્રેલીયન બેટ્સમેન ઘણા વધારે પસંદ છે.

આ યુઝરને વિરાટે જબાબ આપ્યો કે તમારે ભારત દેશ છોડી દેવો જોઈએ. વિરાટની આ કમેન્ટ પર બોલીવુડના અભિનેતાએ પોતાનું નિવેદન આપ્યું હતું.