Border-Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરના જામથા સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. 4 ટેસ્ટ મેચોની આ શ્રેણી ભારત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ દ્વિપક્ષીય શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ભાગ છે. ભારતે ફાઇનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછી 2 ટેસ્ટ જીતવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા લગભગ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે.
અહિં પરિબળોની ચર્ચા કરીશું જે આ શ્રેણીનું પરિણામ નક્કી કરશે. તે પહેલા જાણી લો (Border-Gavaskar Trophy) ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો ઈતિહાસ, મહત્વ અને શેડ્યૂલ…
શ્રેણીનો ઇતિહાસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947-48થી ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. (Border-Gavaskar Trophy) એકવાર ભારતીય ટીમ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે છે, તે પછી બીજી વખત ઓસ્ટ્રેલિયન ટીમ ભારતની મુલાકાતે આવે છે. ભારતે 1979માં પ્રથમ વખત 6 ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. કાંગારુઓએ અગાઉ રમાયેલી 7માંથી 6 શ્રેણી જીતી હતી,એક ડ્રો હતી.
એકંદર પરિણામ પર નજર કરીએ તો, ભારતે આ શ્રેણી 10 વખત જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 12 વખત શ્રેણી જીતી છે. જ્યારે 5 શ્રેણી ડ્રો રહી હતી. 1996માં પહેલીવાર આ શ્રેણીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું નામ મળ્યું.
ભારત માટે આ સિરીઝ કેટલી મહત્વની
રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ફાઇનલમાં પહોંચવાની છેલ્લી તક છે. જો ટીમ ઈન્ડિયા આમાંથી ઓછામાં ઓછી 2 ટેસ્ટ જીતશે તો તે WTCની ફાઇનલમાં પહોંચી જશે. હાલમાં, ટીમ 58.93% સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 75.56% સાથે લગભગ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.
5 ફેક્ટર જે સિરીઝનું પરિણામ નક્કી કરશે
પિચ બિહેવીયર
પ્રથમ ટેસ્ટ નાગપુરના જામથા સ્ટેડિયમમાં રમાવાની છે અને મેચ પહેલા જ અહીંની પીચને લઈને વિવાદ ઉભો થયો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે પીચ કેવી રહેશે. કારણ કે ભારતની ટીમ મેનેજમેન્ટે મેચ પહેલા જ પીચમાં ફેરફાર કર્યો છે. આવી સ્થિતિમાં પિચ કેવી રીતે વર્ક કરશે તેની કોઈને ખબર નથી. જો કે, કેટલાક મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે નાગપુરની પીચ જમણા હાથના બેટ્સમેનો માટે મદદરૂપ અને ડાબા હાથના બેટ્સમેનો માટે મુશ્કેલ હશે.
સ્પિન બેટિંગ
સ્પિન બોલ પર બેટિંગ આ શ્રેણીમાં નિર્ણાયક પરિબળ બનશે કારણ કે યજમાન ભારતે તેમની તમામ પીચોને સ્પિન મૈત્રીપૂર્ણ બનાવી છે. એટલું જ નહીં, બંને ટીમો પોતપોતાના અનુભવી સ્પિનરો સાથે ફિલ્ડિંગ કરી રહી છે. કાંગારૂ ટીમ 8 સ્પિનરો સાથે આવી છે, જ્યારે ભારતીય ટીમમાં ચાર સ્પિનરો છે. ભારતીય ટીમમાંથી અશ્વિન, જાડેજા, અક્ષર અને કુલદીપ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની કસોટી કરશે. જયારે નાથન લિયોન અને એશ્ટન અગર મુલાકાતી ટીમમાંથી કોહલી અને રોહિત માટે મુશ્કેલી ઊભી કરશે. આ સિરીઝમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્પિનિંગ બોલ પર પડતી વિકેટો વચ્ચે કોણ વધુ રન બનાવે છે. જોકે સ્પિન બોલિંગ સામે બેટિંગ હંમેશા ભારતની તાકાત રહી છે, પરંતુ સ્પિનરોએ છેલ્લા કેટલાક વર્ષોથી કનડગત કરે છે.
પંતની ગેરહાજરી
વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ભારતીય ટીમનો ભાગ નથી. તે અકસ્માતની ઇજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, પંતની ગેરહાજરીની અસર પણ ઘણી હદ સુધી શ્રેણીનું પરિણામ નક્કી કરશે. જો ભારતીય ટીમ મેનેજમેન્ટ પંતનો બદલો શોધે છે તો પરિણામ ભારતની તરફેણમાં આવશે અને જો ભારતીય ટીમ પંતને ચૂકી જશે તો યજમાન ટીમને મુશ્કેલી પડી શકે છે. ટોપ ઓર્ડરના વહેલા આઉટ થયા બાદ પંતે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવી છે. પંત ઉપરાંત શ્રેયસ અય્યરની ગેરહાજરી પણ ચૂકી જશે, કારણ કે શ્રેયસ અય્યર સ્પિન બોલ સારી રીતે રમે છે.
ભારતના બિગ-3
પંત-ઐયરની ગેરહાજરીમાં ભારતનો મિડલ ઓર્ડર નબળો પડ્યો છે. સૂર્યા, ગિલ અને કેએલ ભરતને તેમના વિકલ્પો કહેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ટોપ ઓર્ડરની બેટિંગમાં ઘણો ફરક પડશે. બિગ-3 (કેપ્ટન રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી) ટોપ ઓર્ડરમાં રમે છે. પુજારા ફોર્મમાં હોવાથી તેની બેટિંગ પર ઘણું નિર્ભર રહેશે. કેપ્ટન રોહિત શર્મા છેલ્લા બે વર્ષથી ઈજાઓ અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. કોહલી પણ 3 વર્ષથી ટેસ્ટમાં સદી ફટકારી શક્યો નથી. પંત અને અય્યરના વિકલ્પ તરીકે ઉભરેલા ઈશાન કિશન, સૂર્યકુમાર અને કેએસ ભરત પણ ટેસ્ટમાં નવા છે. ઝડપી રન બનાવવાની જવાબદારી સૂર્યા પર રહેશે.
સ્પિનરોની તીક્ડ્મ
ભારતીય ટીમની તાકાત સ્પિન છે. ટીમનું સ્પિન આક્રમણ રવિચંદ્રન અશ્વિન સંભાળશે. તેની સાથે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી કોઈ એક હશે. નાગપુરમાં સ્પિન ટ્રેક પર ભારતીય સ્પિનરોની ત્રણેયનું પ્રદર્શન જોવા જેવું રહેશે. પ્રેક્ટિસ સેશનમાં સ્પિન સામે કાંગારુ બેટ્સમેનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ત્રણેય ભારતીય સ્પિનરોની નું પ્રદર્શન શ્રેણીનું પરિણામ નક્કી કરશે.