બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાતે સરકારની ચિંતા વધારી દીધી છે. તેનું મુખ્ય કારણ રાજધાની દિલ્હીમાં હિંસા બાદ ચાલી રહેલ તણાવ છે. અહેવાલ છે કે 22 એપ્રિલે દિલ્હીમાં યોજાનારી પીએમ મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષની બેઠક દરમિયાનની સ્થિતિને લઈને સરકાર ચિંતિત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એજન્સીઓ પણ તૈયાર છે. ખાસ વાત એ છે કે 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરીમાં એક સરઘસ દરમિયાન હિંસા ભડકી હતી. ત્યારથી આ વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે.
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ચિંતિત છે કે 22 એપ્રિલે જોન્સનની ભારત મુલાકાત દરમિયાન કોઈ તોફાનો કે અપ્રિય ઘટના ન બને. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જારી કરાયેલા અગાઉના નિવેદન અનુસાર, “આ પ્રવાસ ગુરુવારે (21 એપ્રિલ) અમદાવાદમાં બિઝનેસ મીટિંગ અને વાણિજ્ય, વેપાર અને ભારત અને બ્રિટનના લોકો વચ્ચેની લિંક સાથે શરૂ થશે.”
તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, ‘આ પ્રથમ વખત બનશે કે જ્યારે કોઈ બ્રિટિશ પીએમ ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય એવા ગુજરાત પહોંચશે.’ ગુજરાતમાં, જ્હોન્સન UK અને ભારતમાં ઉદ્યોગોમાં મોટા રોકાણની તેમજ નવા વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પ્રોજેક્ટ્સની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “યુકેના વડાપ્રધાન ત્યારબાદ શુક્રવારે 22 એપ્રિલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા નવી દિલ્હી જશે.” નેતાઓ યુકે અને ભારતની વ્યૂહાત્મક સુરક્ષા, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઉંડાણપૂર્વક ચર્ચા કરશે. આ ચર્ચાનો ધ્યેય ભારત-પેસિફિકમાં અમારી ગાઢ ભાગીદારીને સુધારવા અને સુરક્ષા સહાયતા વધારવાનો છે.
ટ્રમ્પની મુલાકાત દરમિયાન રમખાણો થયા હતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં રમખાણો થયા હતા. હાલના તબક્કે, એવા અહેવાલ છે કે સુરક્ષા એજન્સીઓ જોન્સનની બે દિવસીય મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારના તોફાનોને લઈને ચિંતિત છે. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
જામનગર/ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન : જેનો શુભારંભ PM મોદી કરી રહ્યા છે, આવો જાણીએ તેના વિષે …