ગીરસોમનાથ,
ગીરસોમનાથમાં CM વિજય રૂપાણીએ દ્વિતીય દ્વાદશ જયોતિલીંગના દર્શન કર્યા. સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જયોતિલીંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.
ત્યારે ટરષટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટીગણ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજા અભિષેક કરવામાં આવ્યો. ત્રિદિવસીય આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાશે. મહોત્સવને લઇને સોમનાથ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં પણ ભક્તિમય વાતાવરણ સાથે અનેરો ઉલ્લાસ છવાયો હતો.