બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન ખુરશી પર મંડરાયેલો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. તેમણે 211 સાંસદોના મતથી વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો છે. ખાસ વાત એ છે કે જોન્સન સરકાર વધતી જતી મોંઘવારી અને પાર્ટીગેટ કૌભાંડના કારણે વિવાદોમાં ફસાઈ હતી. આ જીત સાથે જોનસને ઓછામાં ઓછા 12 મહિના સુધી અન્ય અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે નહીં.અવિશ્વાસ પ્રસ્તાવ માટે કુલ 359 મત પડ્યા હતા. જેમાંથી જોન્સન 148 વિરુદ્ધ 211 મતોથી જીત મેળવી છે. કોવિડ લોકડાઉન દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પાર્ટીઓ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના 40 થી વધુ સાંસદોએ પીએમ જોનસનના રાજીનામાની માંગ કરી હતી.
વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે 180 કન્ઝર્વેટિવ સાંસદોના મતની જરૂર હતી. બ્રિટિશ સંસદમાં કુલ 359 સાંસદો છે. આ નિર્ણાયક મતદાન પહેલા, પીએમ જોનસને સમર્થન મેળવવાના પ્રયાસમાં ડઝનબંધ ધારાસભ્યોને સંબોધિત કર્યા. પાર્ટીગેટ કાંડથી જોનસનને પોતાની પાર્ટીને ભારે અસર થઈ હતી
નોંધપાત્ર રીતે, જૂન 2020 માં ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાનના નિવાસસ્થાન) માં આયોજિત જન્મદિવસની પાર્ટીમાં, 40 થી વધુ ધારાસભ્યોએ કોવિડ -19 લોકડાઉન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો પર જોનસન રાજીનામાની માંગ કરી હતી. આ મામલો લાંબા સમયથી સમાચારમાં છે અને ટોચના સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેની આગેવાની હેઠળની તપાસની નિષ્ફળતા અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.