જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. બુધવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સીમા સુરક્ષા દળનો એક જવાન શહીદ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર સામ્બામાં સરહદી ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
છેલ્લા 24 દિવસમાં જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા યુદ્ધવિરામ ભંગની આ ત્રીજી ઘટના છે. તેમણે કહ્યું કે ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો, જેને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. 8-9 નવેમ્બર 2023 ની મધ્યવર્તી રાત્રિ દરમિયાન પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં બિનઉશ્કેરણીજનક ગોળીબારનો આશરો લીધો હતો, જેનો BSF જવાનોએ યોગ્ય જવાબ આપ્યો હતો.
રામગઢ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર (BMO) ડો. લખવિંદર સિંહે જણાવ્યું કે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો, જેને સવારે 1 વાગ્યે સારવાર માટે કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. ગેરડાના ગ્રામીણ મોહન સિંહ ભાટીએ જણાવ્યું કે ગોળીબાર લગભગ 12.20 વાગ્યે શરૂ થયો હતો, જે બાદમાં વધ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબારના કારણે ભયનું વાતાવરણ છે.
આ પણ વાંચો: સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકનારાને ત્યાં ઇડી ત્રાટકી
આ પણ વાંચો: ધનતેરસના એક દિવસ પહેલા રેડ ઝોનમાં ખૂલ્યું બજાર
આ પણ વાંચો: નિફ્ટી-સેન્સેક્સને પછાડીને ‘સોના’એ રોકાણકારોને કરી દીધા માલામાલ