#Budget2019
આર્થિક પડકારનો સશક્તતાથી સામનો કરવા માટે મોદી સરકાર દ્રારા ધડાધડ મોટે અને મહત્વનાં નિર્ણયો લોવામા આવી રહ્યા છે. સરકાર દ્રારા આર્થિક બાબતે ભ્રષ્ટાચાર, રેપો રેટમાં કટોતી, GSTમાં ફેરફાર જેવા આનેક પગલા બજેટમાં જોવા મળે તેવી પુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે સરકાર ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવવા માટે આ પ્રકારનો નિયમ બનાવવા વિચારી રહી છે.
ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટમાં ફેરફારથી ચાર વર્ષથી જૂની કર આકારણી ફરીથી ખોલી શકાશે નહી તેવા નિયમને સરકાર લાગુ કરી શકે છે. આ નિયમ લાગુ કરવામા આવેતો વેપારીઓ માટે અનેક સ્તરે રાહત થતી જોવા મળશે. જોકે ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ માટે કરવામાં આવશે તે નિયમોમાં પરિવર્તન ગંભીર ટેક્સ ગુનાથી સંબંધિત બાબતોમાં લાગુ પડશે નહી. આપને જણાવી દઇએ કે હાલ છ વર્ષ સુધીની ટેક્સ આકારણીની તપાસ કરી શકાય છે.
ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવવા માટે આ નિર્ણય વિચાર આધીન હોવાની વિગતો સામે આવી રહી છે. નિર્ણય 5 જુલાઈના બજેટ રજૂ થાય પહેલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. નિર્ણયમાં પાયા બાબતે તેવી ઘરવામા આવી છે કે કોઇ પણ આર્થિક કેસમાં એસેસમેન્ટ ફરીથી ઓપન કરવું કે નહીં, તે નક્કી કરવા માટે ચાર વર્ષનો સમય પૂરતો છે.
આપને જણાવી દઇએ કે મોદી સરકાર દ્રારા પોતાના પ્રથમ કાર્યકાળમાં ટેક્સ ચોરી પર પ્રતિબંધ મૂક્યો હતો, ટેક્સ સિસ્ટમ્સને સખ્ત બનાવવાની સાથે અનેક ટેક્સ ફ્રેન્ડલી ઉપાયો પણ જાહેર કરવામાં આવ્યા હતા. ડાયરેકટ અને ઇન્ડારેક્ટ ટેક્સ સાથે જોડાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે ઘણા મહત્વનાં પગલાં લેવામાં આવ્યા હતા. ટેક્સ સિસ્ટમને સરળ બનાવવી હજુ પણ સરકારના એજન્ડામાં મોખરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.