જ્હોનસન એન્ડ જ્હોનસને બજારમાંથી 33,000 બેબી પાવડરની બોટલોને પરત મંગાવવામાં આવી છે.અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તપાસમાં બેબી પાવડરમાં કેન્સરકારક તત્વ એસ્બેસ્ટોસ હોવાના પુરાવા મળ્યાં છે. તપાસ બાદ કંપનીએ તેના ઉત્પાદનની આટલી મોટી માલ પરત મંગાવ્યો છે. જો કે, આ પહેલીવાર છે જ્યારે કંપનીએ તેના કોઈપણ ઉત્પાદનોને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ કેટલાક મહિનાઓથી કેન્સરકારક હાજરીને નકારી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ઘણા મહિનાઓથી બેબી પાવડરમાં કેન્સર પેદા કરનારા તત્વોની હાજરીને નકારી રહી હતી, પરંતુ હવે તપાસ બહાર આવ્યા બાદ કંપનીએ માર્કેટમાંથી 33,000 બેબી પાવડરની બોટલોને પરત મંગાવવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે રેગ્યુલેટર ઓનલાઈન રિટેલર પાસેથી ખરીદેલ બેબી પાવડરના નમૂનામાં ક્રાયસોટાઇલ એસ્બેસ્ટોસ વિશે નિયમનકારે માહિતી મેળવી છે. જણાવીએ કે કેન્સરકારક તત્વ મળ્યાના સમાચાર પછી, કંપનીએ શુક્રવારે શેરમાં મોટો ઘટાડો નોંધાવ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર 4.6 ટકા ઘટ્યો હતો.
કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કંપની તરફથી માહિતી મળ્યા પછી #22318RB લોટ બજારમાંથી પરત મંગાવવામાં આવી છે. જણાવીએ કે આ લોટમાં લગભગ 33,000 બેબી પાવડર બોટલ હતી. પ્રવક્તા કહે છે કે છેલ્લા 40 વર્ષથી હજારો પરીક્ષણોમાં, તે સાબિત થયું છે કે અમારા બેબી પાવડરમાં કોઈ એસ્બેસ્ટોસ નથી. કંપની કહે છે કે અમે પ્રોડક્ટની તપાસ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે આ પહેલા પણ કંપની પર પાવડરમાં કાર્સિનોજેનિક તત્વો હોવાનો આરોપ મૂકાયો છે. હાલમાં કંપની પર આવા 15,000 થી વધુ કેસ નોંધાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.