મધ્ય પ્રદેશની સરકાર પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કરી નિશાન સાંધ્યુ છે. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ટ્વીટ મારફતે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તે પછી ચીન મુદ્દે હોય, ઈકોનોમી મુદ્દે હોય, કોરોના મુદ્દે હોય કે પછી PM કેર્સ ફંડને લઇને હોય.
આપને જણાવી દઇએ કે, મધ્ય પ્રદેશનાં ગુના જિલ્લામાં, ભાડેથી જમીન પર ખેતમજૂરી કરતા ખેડૂત પતિ અને પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાજ્યનાં આ મામલો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે વીડિયો ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, “અમારી લડત આવી વિચારધારા અને અન્યાય વિરુદ્ધ છે.”
हमारी लड़ाई इसी सोच और अन्याय के ख़िलाफ़ है। pic.twitter.com/egGjgY5Awm
— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2020