દિલ્હીના વધતા જતા કોરોના કેસ પર લોકડાઉન ફરીથી કરવાના અહેવાલોને નકારી કાઢતા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને એક મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં COVID-19 ને કારણે 2,098 ના મોત થયા હોવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા અંગે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કોવિડ પ્રોટોકોલ દ્વારા અંતિમ સંસ્કાર કરાયેલા લોકોમાં બે પ્રકારના લોકો છે. એક જેનું મૃત્યુ કોવિડથી થયું અને બીજું કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ છે.
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે બંને માટે એક જ પોંચ જાય છે કે કોવિડ પ્રોટોકોલથી તેમના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. ઉપરાંત, જ્યારે આપણી પાસે હોસ્પિટલનો રીપોર્ટ હોય છે, ત્યારે કેટલીકવાર રિપોર્ટિંગ 2-4 દિવસ આગળ-પાછળ પણ હોય છે. દિલ્હીમાં કોરોના કેસ 15 દિવસમાં બમણો થઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
No, the lockdown will not be extended: Delhi Health Minister Satyendar Jain on being asked if there have been discussions to extend lockdown in the national capital #COVID19 pic.twitter.com/stQMoRzpb4
— ANI (@ANI) June 12, 2020