બિહારમાં ચૂંટણીની શરૂઆતથી રાષ્ટ્રીય જનતા દળનાં વડા લાલુ પ્રસાદ યાદવ સક્રિય થઈ ગયા છે. રાજકીય ક્ષેત્રથી દૂર લાલુએ સીધા જ ટ્વિટર દ્વારા નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. લાલુ પ્રસાદ યાદવે શનિવારે બિહારનાં મુખ્ય પ્રધાનને સંબોધન કરતાં એક ટ્વીટ કર્યું હતું.
આ ટ્વિટમાં લાલુએ બોલિવૂડ ગીતોનો ઉપયોગ કર્યો હતો. લાલુ યાદવે લખ્યું કે, ‘પર્દે મે રહેને દો, પર્દા નાં ઉઠાવો, પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુદ જાએગા. આરજેડી વડાએ વધુમાં લખ્યું છે કે નીતિશ કુમારના પંદર વર્ષ, મૂંઝવણ અને જૂઠ્ઠાણુંનો કાળો સમય.’ આ ટ્વીટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં નીતીશ કુમાર તેમની ટીમ સાથે વિસ્તારમાં ફરતા જોવા મળે છે અને તેમના ચહેરા પર કપડુ બાધેલુ છે.
આપને જણાવી દઇએ કે, લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં દોષી છે અને રાંચીનાં રિમ્સમાં દાખલ છે. બિહારમાં ચૂંટણીલક્ષી મહોલ વચ્ચે લાલુ પ્રસાદે ટ્વિટર દ્વારા નીતિશ કુમાર સામે આક્રમકતા વધારી દીધી છે. આ પહેલા પણ તે સોશિયલ મીડિયા દ્વારા નીતીશ પર નિશાન સાધતા આવ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષનાં અંત સુધીમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.
पर्दे में रहने दो पर्दा ना उठाओ
पर्दा जो उठ गया तो भेद खुल जाएगानीतीश कुमार के पंद्रह साल
भ्रम और झूठ का काला काल pic.twitter.com/TSYBiEeSKa— Lalu Prasad Yadav (@laluprasadrjd) June 27, 2020
Loading tweet…