![બાપુનગરનાં ટ્રાવેેલ્સ એજન્ટે 9 લોકોને વિઝાની લાલચ આપી ઉતાર્યા લાખોનાં બાટલામાં 3 df2739092449daedcd0f7b11aa4a3890 1 બાપુનગરનાં ટ્રાવેેલ્સ એજન્ટે 9 લોકોને વિઝાની લાલચ આપી ઉતાર્યા લાખોનાં બાટલામાં](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/df2739092449daedcd0f7b11aa4a3890-1.jpg)
અમદાવાદનાં ટ્રાવેલ એજન્ટે લાખો રૂપિયાની ઠગાઇ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદમાં આવેેલા બાપુનગર વિસ્તારનાં એક ટ્રાવેલ એજન્ટ લલિત જૈન દ્વારા કેનેડાનાં વિઝાનાં નામે 9 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની વિગતો આપતી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. લલિત જૈન નામનાં શખ્સ દ્વારા 9 લોકો પાસેથી વિઝાના નામે 5.94 લાખની ઠગાઇ કરવામા આવી છે. હાલ બાપુનગર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, ત્યારે શું પોલીસ દ્વારા આવા લેભાગુ અને ઠગ સામે કડક પગલા લેવામાં આવશે કે, પૂર્વે અનેક કિસ્સામાં જોવામાં આવતી નરમાઇ આવા ઠગોને ફરી પોતાનુ પોત પ્રકાશવા પ્રેરીત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….