ભારત સહિત વિશ્વનાં દેશોમાં ભૂકંપનાં આંચકાઓ વારંવાર આવી રહ્યા છે. રવિવારે વહેલી સવારનાં ભારતમાં ભૂકંપથી લદ્દાખની ધરતી ફરી એકવાર હચમચી ઉઠી હતી. ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે લદ્દાખનાં કારગિલમાં રવિવારે સવારે 3.37 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર રવિવારે સવારે લદ્દાખનાં કારગિલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.7 મપાયું હતું. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 433 કિમી ઉત્તર પશ્ચિમમાં હતું. આપને જણાવી દઈએ કે, આ પહેલા 2 જુલાઈએ લદ્દાખમાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કારગિલથી પશ્ચિમ દિશામાં 119 કિલોમીટર દૂર હતું.
An earthquake with a magnitude of 4.7 on the Richter Scale hit 433km NNW of Kargil, Ladakh today at 3:37 am: National Center for Seismology (NCS) pic.twitter.com/BgujoutWFJ
— ANI (@ANI) July 5, 2020