પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર, ચીનનાં વલણમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. સોમવારે સૈન્યનાં સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) 1-2 કિ.મી. સુધી પોતાના તંબુઓ, વાહનો અને સૈનિકોને પીછેહઠ કર્યા છે.
આ તે સ્થાનો છે કે જેના પર 30 જૂને થયેલી કોર કમાન્ડરની વાટાઘાટોમાં ડિસઇંગેજમેન્ટ પર સંમતિ બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય અને ચીની દળોએ ગાલવાનનાં બફર ઝોનથી પીછેહઠ કરી છે. બફર ઝોન એલએસીનો એક ભાગ છે જ્યાં કોઇપણ અથડામણને ટાળવા માટે બનાવવામાં આવેલ છે.
India’s responsible stance & message at LAC has been globally recognised.Those invested in India-China relationship in Beijing are also of the opinion that the present stand-off should be resolved. India has sent out a decisive message that national security is paramount: Sources
— ANI (@ANI) July 6, 2020