દેશની સાથોસાથ સમગ્ર રાજ્યમાં બીજા તબક્કાનું વેક્સિનેશન ચાલી રહ્યું છે.આ વેક્સિનેશન અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિછીયા ની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ, તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓ, સ્ટાફના તમામ સભ્યોને વેક્સિનેશન કરાયા બાદ બીજા તબક્કામાં પોલીસ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.જેનો લાભ 60 વર્ષથી ઉપરના તેમજ 40 વર્ષથી ઉપરના બિમાર દર્દીઓ પણ લઈ શકે છે.
Mumbai / એન્ટિલિયાની બહાર મળેલા વિસ્ફોટક કેસમાં તપાસ હવે NIA કરશે
બીજા તબક્કાના વેક્સિનેશનના પ્રારંભમાં ઘણા દિગ્ગજ નેતાઓ તેમજ તેના પરિવારજનોએ વેક્સિન મુકાવી અને લોકોને પણ લેવા માટે પ્રેરણા આપી હતી.સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ વ્યક્તિનો ડોઝ લેવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.જેનો લાભ સામાન્ય જનતા થી માંડી અને મંત્રીઓ પણ લઇ રહ્યા છે. આ તકે ફોરજી બાવળીયા એ પણ વિછીયા ખાતે વેક્સિન લીધી હતી.કુંવરજીભાઇ બાવળિયાએ સામાન્ય જનતાને અપીલ કરી હતી કે વેક્સિન સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના તેના ડોઝ સમયસર લઈ લેવા જોઈએ.
Ujjain / ઉજ્જૈનના ત્રિવેણી ઘાટ પર થયેલા ધમાકા બાદ GSI એ શરૂ કરી તપાસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…