તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકી નથી.
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે Firecracker Factory Blast ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકી નથી.
શનિવારે સવારે થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકની Firecracker Factory Blast હોટલની ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે અન્ય ચાર ઈમારતોને આંશિક નુકસાન થયું હતું, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર એન્જિન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકો સુધી આગ ઓલવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી બચાવકર્તા Fire Factory Blast કાટમાળમાં ફસાયેલા લોકોની કુલ સંખ્યા જાણી શક્યા નથી. બનાવની ગંભીરતા જોતા મૃત્યુઆંક હજી પણ વધી શકે છે.
#WATCH | A total of eight deaths have been reported so far after due to an explosion in firecrackers factory in Krishnagiri district of Tamil Nadu: SP Krishnagiri Saroj Kumar Thakur
— ANI (@ANI) July 29, 2023
પોલીસ અને ફાયર સર્વિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ પહેલા મંગળવારે વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાના એકમમાં વિસ્ફોટમાં બે મહિલા મજૂરોના જીવ ગયા હતા.
કુમાર ઠાકોરે જણાવ્યું હતું કે પઝાયાપેટ્ટાઈ વિસ્તારમાં રવિ નામના Firecracker Factory Blast વ્યક્તિની માલિકીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ઠાકોરે કહ્યું, “ઓછામાં ઓછા સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”
ઠાકોરે બાદમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં વધુ એક વ્યક્તિનું મોત Firecracker Factory Blast નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તો અને બચાવેલા લોકોને સારવાર માટે ક્રિષ્નાગિરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિસ્ફોટની અસરને કારણે, એક હોટલની ઇમારત સંપૂર્ણ રીતે તૂટી પડી હતી અને આસપાસના ત્રણ-ચાર મકાનોને આંશિક નુકસાન થયું હતું.
આ પણ વાંચો:મણિપુરના બે દિવસીય પ્રવાસ પર જશે ભારત ગઠબંધ, 16 પક્ષોના 20 સાંસદો લેશે સ્થિતિનો તાગ
આ પણ વાંચો:રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે છેડછાડ, અશોક ચક્રને બદલે જોવા મળ્યા ચંદ્ર તારા, પોલીસ હાઈ એલર્ટ
આ પણ વાંચો:દિલ્હીમાં યુવતીની હત્યા, લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયા વડે કરી હત્યા, કોલેજ નજીકથી મળી લાશ
આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર
