Crime/ પ્રેમી સાથે થયો ઝઘડો તો મહિલાએ પ્રેમીની સગીર દીકરીનાં ફોટો અપલોડ કરી બતાવી કોલગર્લ

સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર એક સગીરા ના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને તેમાં તેની પ્રતિસ્ઠા ને હાનિ પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું

Ahmedabad Gujarat
Mantavya 6 પ્રેમી સાથે થયો ઝઘડો તો મહિલાએ પ્રેમીની સગીર દીકરીનાં ફોટો અપલોડ કરી બતાવી કોલગર્લ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર એક સગીરાનાં ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. તેમાં તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે.

Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક પગલું, બજેટ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, મોટાપાયે ખર્ચમાં થશે બચત

સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવી બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પુછપરછમાં બહાર આવ્યું હતુ. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી “rate 2500 call me” જેવું બિભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યુ હતુ. જે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં બતાવતું હતું.

News: ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ

જેથી પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશીશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પુછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા દિલ્લીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાનાં પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જોકે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ