Rohit Sharma Test series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રમશે કે કેમ તે અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે. ODI સીરીઝની બીજી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા આવી હતી, ત્યારબાદ તેને હાથમાં ટાંકા પણ આવ્યા હતા. જો કે આ ઈજા બાદ રોહિત બેટિંગ કરવા આવ્યો અને તેણે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા, પરંતુ ટીમ ઈન્ડિયાને હારથી બચાવી શક્યો નહીં. BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જય શાહને ટાંકવામાં આવ્યું હતું કે, “BCCIની મેડિકલ ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે અને ઢાકાની સ્થાનિક હોસ્પિટલમાં તેનું સ્કેન કરવામાં આવ્યું છે.” તે વિશેષજ્ઞને જોવા માટે મુંબઈ જવા રવાના થયો છે અને છેલ્લી વનડે રમશે નહીં. ટેસ્ટ શ્રેણીમાં તેના રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.
BCCIએ ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેનને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજરી આપવા કહ્યું છે. બંને ઘાયલ છે શાહે જણાવ્યું કે, ‘ફાસ્ટ બોલર કુલદીપ સેને પ્રથમ વનડે પછી કમરમાં જકડાઈ જવાની ફરિયાદ કરી હતી. BCCIની મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે. તે આ શ્રેણીમાં વધુ રમી શકશે નહીં. ફાસ્ટ બોલર દીપક ચહરને બીજી વનડે દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. બંને હવે NCAમાં જશે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી, ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને પાઠવી શુભેચ્છા, વિજેતા ઉમેદવારોને