આ દિવસોમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં પણ વિવાદ જોવા મળ્યો હતો. થોડા દિવસોથી પાર્ટીમાં આંતરિક વિખવાદ બહાર આવવા લાગ્યો છે. હવે મમતા બેનર્જીએ 10 માર્ચે રાષ્ટ્રીય કાર્ય સમિતિની બીજી બેઠક બોલાવી છે. શુક્રવારે પ્રથમ બેઠક યોજાઈ હતી. મમતા બેનર્જી હવે 2024ની સામાન્ય ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને દેશભરમાં પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે. આ વખતે તે ગોવામાં વિધાનસભા ચૂંટણી પણ લડી રહ્યા છે.
આ પણ વાંચો:સાયકલનું અપમાન, આખા દેશનું અપમાન’, અખિલેશ યાદવનો PM મોદી પર પલટવાર
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીની વર્કિંગ કમિટીની બીજી બેઠક 10 માર્ચે નવી દિલ્હીમાં યોજાશે. તે સમયે મમતા બેનર્જી પણ દિલ્હીમાં હશે. આ દરમિયાન તે ઘણા મોટા નેતાઓને પણ મળી શકે છે. છેલ્લી બેઠકમાં, મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓને કહ્યું કે, તેમને કેન્દ્રમાં વધુ સક્રિય થવાની જરૂર છે.
દિલ્હીમાં આ બેઠકને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પ્રવક્તાની એક ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં મહુઆ મોઇત્રા, સુખેન્દુ શેખર રોય અને કાકોલી ઘોષ દસ્તીદારનો સમાવેશ થાય છે. દસ્તીદાર હાલમાં જ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા છે.
આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને ફરીથી રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા છે. યશવંત સિંહા, સુબ્રત બક્ષી અને ચંદ્રીમા ભટ્ટાચાર્યને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમામ પદાધિકારીઓના નામ 31 માર્ચ પહેલા ચૂંટણી પંચને આપવામાં આવશે. બેનર્જીએ NWCને નીતિઓનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સિન્હાને બાહ્ય બાબતોની સમિતિના અધ્યક્ષ અને અમિત મિત્રાને આર્થિક નીતિ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:PM મોદીએ શિક્ષણ બજેટ પર જાણો શું કહ્યું….
આ પણ વાંચો:શિવસેનાના સાંસદ સંજ્ય રાવતે કહ્યું કોંગ્રેસ વિના કોઇ ત્રીજો મોરચો બનાવશે નહીં,જાણો વિગત