Business News: આવનારા સમયમાં કેશ ડિપોઝીટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. નવી નાણાકીય નીતિ દરમિયાન ગર્વનર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
હાલમાં UPI દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે. તમે કોઈપણ બેંકની મુલાકાત લઈને અને એટીએમમાં કેશલેસ સુવિધાનો ઉપયોગ કરીને સરળતાથી રોકડ ઉપાડી શકો છો.
શું હવે આ સુવિધા શરૂ થશે?
હાલમાં RBIએ ટૂંક સમયમાં કેશ ડિપોઝીટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ સુવિધા ક્યારે શરૂ થશે? આ માટે કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી.
RBI રિટેલ રોકાણકારો માટે એપ લોન્ચ કરશે
RBI ગવર્નરે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે RBI ટૂંક સમયમાં રીટેલ ડાયરેક્ટ માટે એપ લોન્ચ કરશે. આના દ્વારા રોકાણકારો RBI સાથે સીધા સરકારી સિક્યોરિટીઝમાં સરળતાથી રોકાણ કરી શકે છે. હાલમાં, તમે RBI પોર્ટલ પર સરકારી સિક્યોરિટીઝમાં સીધા રોકાણ કરવા માટે કેન્દ્રીય બેંકમાં ખાતુ ખોલી શકો છો.
આ પણ વાંચો:RBI MPC Meeting/ RBIની બેઠક: રેપો રેટ 6.5 ટકા, લોનના દર યથાવત
આ પણ વાંચો:Richest Billionaires/ ફોર્બ્સની યાદીમાં કોણ છે સૌથી ધનિક? સૌથી અમીર ભારતીય તરીકે…
આ પણ વાંચો:ચોખાની આ જાતની નિકાસ માટે સરકારની મંજૂરી, 1000 ટન ચોખા પર કોઈ ડ્યુટી લાગશે નહીં